Gujarati Video : અમદાવાદ: ગટરની સફાઇ કરવા ઉતરેલા કામદારોને સેફટીના સાધન વગર ઉતારાયા હતા, કામદારોના ગુંગળાઇ જતા થયા મોત

Ahmedabad News : પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને કર્મચારીઓને ગટરમાં ઉતારતા પહેલા કોઇપણ પ્રકારની સેફ્ટિના સાધનો પહેરાવવામાં નહોતા આવ્યા, ત્યારે અહીં સવાલ એ સર્જાય કે આ ઘોર બેદરકારી પાછળ જવાબદાર કોણ.

Darshal Raval
| Edited By: | Updated on: Apr 23, 2023 | 2:17 PM

અમદાવાદ જિલ્લામાં ધોળકામાં ગઇકાલે ગટરની સફાઇ કરવા ઉતરેલા 2 કામદારોના ગૂંગળાઇ જતા મોત નિપજ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને કર્મચારીઓને ગટરમાં ઉતારતા પહેલા કોઇપણ પ્રકારની સેફ્ટિના સાધનો પહેરાવવામાં નહોતા આવ્યા, ત્યારે અહીં સવાલ એ સર્જાય કે આ ઘોર બેદરકારી પાછળ જવાબદાર કોણ. કેમ એક પછી એક ગટરમાં ગૂંગળાઇ જવાની મોતની ઘટનાઓ બાદ પણ કોઇ કાળજી નથી રખાતી. ધોળકાની દુર્ઘટના બાદ ફરી એકવાર સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલ સર્જાયો છે. તો બીજી તરફ ઘટના બાદ પોલીસે કેટલાક લોકોને રાઉન્ડ અપ કર્યા છે. જેમના પરિવારજનો ચિંતામાં મુકાયા છે.

આ પણ વાંચો- Tender Today : ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા સિવિલ કામો માટે ટેન્ડર જાહેર, જાણો ટેન્ડર સબમીશનની છેલ્લી તારીખ

ધોળકામાં જે સ્થળે કામદારોને ગટરમાં ઉતારવામાં આવ્યા હતા, ત્યાં TV9 પહોંચ્યું હતુ અને ઘટનાની ગંભીરતા જાણવાનો પ્રયાસ કર્યો છે. ધોળકાની આ કોઇ પહેલી ઘટના હોય, અગાઉ પણ સામાન્ય બેદરાકારી મોતનું કારણ બની છે. છેલ્લા કેટલાક મહિનામાં ગટર સફાઇ કરવા ઉતરેલા કામદારોના ગૂંગળાઇ જતા મોતની ઘટનાએ ચકચાર મચાવી છે.

દોઢ માસમાં ગટરમાં ગૂગળાઇ જવાથી 8 કામદારોના મોત નિપજ્યા છે. રાજકોટ હોય કે પછી ભરૂચનું દહેજ, સુરત હોય કે પછી અમદાવાદનું ધોળકા, આ તમામ શહેરોમાં સેફ્ટીના સાધનોના અભાવે ગટરમાં ઉતરેલા મજૂરોના મોત થયા હતા. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે ક્યાં સુધી બેદરકારીમાં કામદારોના ભોગ લેવાતા રહેશે. કેમ હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર આંખ આડા કાન કર્યા કરશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
g clip-path="url(#clip0_868_265)">