Ahmedabad : ફરી કોરોનાનું સંકટ વધ્યુ, ઝાયડસ સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ સંક્રમિત થતા વાલીઓની વધી ચિંંતા

વેજલપુરની ઝાયડસ સ્કૂલમાં (Zydus School) કોરોનાએ એન્ટ્રી કરી છે. શાળાના બે વિદ્યાર્થીઓ સંક્રમિત થતા હાલ શાળા બંધ કરી દેવાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 11:47 AM

Ahmedabad : અમદાવાદમાં ફરી એકવાર કોરોનાનું (Corona Case) સંકટ વધી રહ્યું છે. એક તરફ પાલડી NIDમાં કોરોના બ્લાસ્ટ થયો છે. તો હવે બીજી તરફ શાળાઓમાં પણ કોરોના પગ પેસારો કરી રહ્યો છે. વેજલપુરની ઝાયડસ સ્કૂલમાં (Zydus School)  કોરોનાએ એન્ટ્રી કરી છે. શાળાના બે વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. વિદ્યાર્થીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા હાલ શાળા બંધ કરી દેવાઈ છે. સાથે જ શાળામાં વેકેશન પણ જાહેર કરી દેવાયું છે. શાળામાં કોવિડ ગાઇડલાઇનનું (Corona Guidelines) પાલન થાય છે કે કેમ તેની કોર્પોરેશનની ટીમ દ્વારા તપાસ કરાશે.

છેલ્લા ઘણાં સમયથી કોરોનાના નહીંવત કેસ સામે આવી રહ્યા હતા. પરંતુ ફરી એકવાર કોરોના માથું ઉંચકી રહ્યો છે. ગઈકાલે પણ રાજ્યમાં કોરોનાના 30થી વધુ કેસ નોંધાયા હતા. જેમાંથી 19 નવા કેસ એકમાત્ર અમદાવાદમાં (Corona in ahemedabad) સામે આવ્યા હતા.

NID વિદ્યાસંકુલમાં પણ કોરોનાની એન્ટ્રી

અમદાવાદમાં કોરોનાનો પગ પેસારો જોવા મળી રહ્યો છે. અમદાવાદના પાલડીમાં આવેલા NID વિદ્યાસંકુલમાં કુલ 24 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મનપાના આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, NIDમાં છેલ્લા 3 દિવસમાં આ કેસો નોંધાયા હતા. કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓમાં કેટલાક વિદેશના અને કેટલાક સ્થાનિક છે.ત્યારે ફરી એક વાર અમદાવાદની શાળાઓમાં કોરોનાની રિ-એન્ટ્રી થતા વાલીઓની ચિંતા વધી છે.

Follow Us:
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
g clip-path="url(#clip0_868_265)">