વડોદરા જિલ્લાની ત્રણ હોસ્પિટલ પારુલ, ધીરજ, પાયોનિયર હોસ્પિટલને સરકાર હસ્તક લેવાઈ

સરકાર હસ્તક લેવાયેલી વડોદરા જિલ્લાની પારુલ હોસ્પિટલ, ધીરજ હોસ્પિટલ અને પાયોનિયર હોસ્પિટલના 80 ટકા બેડ સરકારી કવોટા મુજબ ભરવામા આવશે

| Updated on: Apr 26, 2021 | 9:10 AM

વડોદરામાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર બનતા, વહીવટીતંત્રે વડોદરા જિલ્લાની ત્રણ મોટી હોસ્પિટલો, પારુલ હોસ્પિટલ  ( Parul Hospital ),  ધીરજ હોસ્પિટલ ( Dhiraj Hospital) અને પાયોનિયર હોસ્પિટલને (Pioneer Hospital ) સરકાર હસ્તક લઈ લીધી છે. આ હોસ્પિટલોમાં હવે સરકારીસ્તરે પણ કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવશે.

સરકાર હસ્તક લેવાયેલી આ ત્રણેય હોસ્પિટલ પારુલ હોસ્પિટલ, ધીરજ હોસ્પિટલ અને પાયોનિયર હોસ્પિટલને વડોદરાની સર સયાજીરાવ ગાયકવાડ (SSG) હોસ્પિટલની એક્સટેન્સન સેન્ટર તરીકે કામ કરશે. સરકાર હસ્તક લેવાયેલી વડોદરા જિલ્લાની પારુલ હોસ્પિટલ, ધીરજ હોસ્પિટલ અને પાયોનિયર હોસ્પિટલના 80 ટકા બેડ સરકારી કવોટા મુજબ ભરવામા આવશે એટલે કે સરકારી હસ્તક હોવાને કારણે સરકાર કહે તે દર્દીને દાખલ કરવા પડશે. જ્યારે હોસ્પિટલના 20 ટકા બેડ છે તે હોસ્પિટલના સંચાલકો તેમની રીતે ખાનગી ધોરણે ભરી શકશે.

ગુજરાત સરકારે કોવિડ19ને લઈને ખાસ ફરજ પર મૂકેલા ડોકટર વિનોદ રાવે કહ્યુ હતું કે, પારુલ હોસ્પિટલ, ધીરજ હોસ્પિટલ અને પાયોનિયર હોસ્પિટલમાં મેનેજમેન્ટ જે તે હોસ્પિટલનું રહેશે પરંતુ હોસ્પિટલે હાલ સરકારના પ્રવર્તમાન નિતી નિયમોનું અને સરકારી આદેશોનુ પાલન કરવુ પડશે.

વડોદરાની પારુલ હોસ્પિટલ, ધીરજ હોસ્પિટલ અને પાયોનિયર હોસ્પિટલને સરકાર હસ્તક લઈ લેવાથી કોરોનાના દર્દીઓ માટે ઉપલબ્ધ બેડની સંખ્યા 600થી વધીને 1200 થશે. વડોદરા શહેરમાંથી રોજબરોજ આવી રહેલા કોરોનાના દર્દીઓને હવે આ ત્રણેય હોસ્પિટલોમાં પણ દાખલ કરીને જરૂરી સારવાર આપી શકાશે.

સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓનો સતત ધસારો રહે છે. ખાસ કરીને ગરીબ અને મઘ્યમવર્ગના કોરોનાના દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે હેતુથી કોવિડ19ની સ્થિતિમાં ખાસ ફરજ પર મૂકાયેલા ડોકટર વિનોદ રાવ દ્વારા આ નિર્ણય લેવાયો છે. વડોદરાની સર સયાજીરાવ ગાયકવાડ (SSG) હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે અને વધુ કરાયેલી વ્યવસ્થા ખુટી રહી છે. આ સંજોગોમાં આ નિર્ણય કરવો જરૂરી હતો તેમ પણ વિનોદ રાવે કહ્યુ હતું.

વડોદરાની પારુલ હોસ્પિટલ, ધીરજ હોસ્પિટલ અને પાયોનિયર હોસ્પિટલને સરકાર હસ્તક લેવા ઉપરાંત ડો. મીનું પટેલ અને ડૉ. ઉમા નાયકને સર સયાજીરાવ ગાયકવાડ (SSG) હોસ્પિટલ અને સમરસ કોવિડ હોસ્પિટલના મેનેજમેન્ટની વધારાની જવાબદારો સોંપવામાં આવી છે.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">