Gujarati Video સસ્તા અનાજના દુકાનધારકોની હડતાળ સમેટાઈ, 20 હજાર મિનિમમ કમિશનની માગનો રાજ્ય સરકારે કર્યો સ્વીકાર

Gandhinagar: સસ્તા અનાજના દુકાનના સંચાલકોએ હડતાળ સમેટી લીધી છે. રાજ્ય સરકારે 20 હજાર મિનિમમ કમિશનની માગનો સ્વીકાર કરતા હડતાળ સમેટાઈ છે. ગ્રામ્ય કે અંતરિયાળ વિસ્તારોમાં કમિશનની 20 હજારથી ઓછી માસિક આવક ધરાવતા દુકાનદારને રાજ્ય સરકાર હવે સહાય કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2023 | 12:08 AM

Gandhinagar: હવે તહેવાર સમયે જ ગરીબ વર્ગને અનાજથી વંચિત નહીં રહેવુ પડે. સસ્તા અનાજના સંચાલકોએ તેમની રાજ્ય વ્યાપી હડતાળ સમેટી લીધી છે. રાજ્ય સરકારે 20 હજાર મિનિમમ કમિશનની માગનો સ્વીકાર કરતા હડતાળ સમેટાઈ છે. ગ્રામ્ય કે અંતરિયાળ વિસ્તારોમાં કમિશનની 20 હજારથી ઓછી માસિક આવક ધરાવતા દુકાનદારને રાજ્ય સરકાર હવે સહાય કરશે. એટલે કે જે દુકાનદારની કમિશનની માસિક આવક 20 હજારથી જેટલી ઓછી હશે. તેટલી રકમની સરકાર સહાય આપશે. રાજ્ય સરકારે સસ્તા અનાજની દુકાનના સંચાલકોને સહાય પેટે 35.53 કરોડની રકમ પણ અલાયદી ફાળવી છે.  આગામી તહેવારોને લઈ રવિવારે પણ દુકાનદારો અનાજનું વિતરણ ચાલુ રાખશે.

આપને જણાવી દઈએ કે રાશનની દુકાનધારકોએ તેમની પડતર માગણીઓને લઈને હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ હતુ. વિવિધ પડતર માગને લઇ રાજ્યના સસ્તા અનાજની દુકાનદારો લડી લેવાના મૂડમાં જણાયા હતા. રાજ્યના 17 હજાર સસ્તા અનાજના દુકાનદારોએ હડતાળ પાડી અનાજ વિતરણ બંધ રાખ્યું હતુ. કમિશન અને અનાજ ઘટની માગ પુરી કરવાની માગ સાથે દુકાનદારો હડતાળ પર ઉતર્યા હતા

આ પણ વાંચો : Surat: કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનો સ્વાસ્થ્ય રક્ષકો સાથે સંવાદ, કહ્યુ ભારતમાં હેલ્થ સેક્ટર ક્યારેય વ્યવસાય નથી રહ્યો

 

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Follow Us:
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
g clip-path="url(#clip0_868_265)">