ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર અને દૂધનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે. જેતપુરના ટાકડી પર વિસ્તારમાં આવેલા રજવાડી ડેરી પ્રોડક્ટના યૂનિટમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. જ્યાં તેમને પનીર અને દૂધના નમૂના લઈને લેબમાં સેમ્પલ માટે મોકલવામાં આવ્યા છે. બે હજાર લીટર દૂધ અને 633 કિલો પનીરના જથ્થાનો નાશ કરાયો છે. આ ઉપરાંત વનસ્પતિ તેલ અને મલાઈના જથ્થાનો પણ નાશ કરવામાં આવ્યો છે.
આ અગાઉ સુરતમાંથી નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી.પરવાના વગર સુરતમાં કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવા બનાવવામાં આવતી હતી.ગાંધીનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરી કૌભાંડ ઝડપી પડાયું હતું. ઓનલાઇન માર્કેટમાં બનાવટી દવા વેચાણનો પર્દાફાશ થયો હતો.