T-20 વર્લ્ડ કપની ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્ય કુમાર યાદવે વર્લ્ડકપની ટ્રોફી સાથે અડાલજની વાવ પહોંચ્યા છે. વર્લ્ડ કપમમાં જીત બાદ વિજેતા ટીમના કેપ્ટન દ્વારા ટ્રોફી સાથે આઈકોનિક સ્થળે ફોટોશુટની પરંપરા છે. એ જ પરંપરાના ભાગ રૂપે આજે કેપ્ટન સૂર્યા અડાલજની વાવ ખાતે ટ્રોફી સાથે ફોટો શૂટ કરવા માટે પહોંચ્યા છે.
જુઓ વીડિયો
ક્રિકેટમાં મોટી ટુર્નામેન્ટમાં આઈકોનિક ફોટો શૂટની પરંપરા 1992 થી શરૂ થઈ છે. ક્રિકેટમાં વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટોશૂટ એક મુખ્ય પરંપરા છે. જેમા ખાસ કરીને પછી વિજેતા ટીમના કેપ્ટન ટ્રોફી સાથે એક ફ્રેમમાં ફોટોશૂટ કરાવે છે. આ ફોટો શૂટ મોટા ભાગે, પ્રખ્યાત આઈકોનિક સ્થળે અથવા દરિયાકિનારે કરવામાં આવે છે. જેમાં વિજેતા ટીમના ઉત્સાહ, ઉજવણી અને યાદોને ફ્રેમમાં કેપ્ચર કરવામાં આવે છે.
આ અગાઉ 19 નવેમ્બર 2023ના રોજ રમાયેલી વન ડે વર્લ્ડકપની ફાઈનલ પહેલા પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે અડાલજની વાવ ખાતે ફોટોશૂટ કરાવ્યુ હતુ.
2023ના વનડે વર્લ્ડ કપની ફાઈનલ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાઈ હતી. આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ વિજેતા બની હતી. જે બાદ 20 નવેમ્બરે કેપ્ટન પેટ કમિન્સે રિવરફ્રન્ટ પર પહોંચ્યો હતો અને અટલ બ્રિજના લોકેશન પર ફોટો શુટ કરવામાં આવ્યુ હતુ.
વર્ષ 2024નો T20 વર્લ્ડકપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડકપ ટ્રોફી સાથે ‘બાર્બાડોઝ’ના દરિયા કિનારે ફોટોશૂટ કર્યું હતું
વર્ષ 2011ન વનડે વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાન કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ મુંબઈના પ્રખ્યાત ગેટવે ઓફ ઈન્ડિયા પાસે ટ્રોફી સાથે એક યાદગાર ફોટો શૂટ કરાવ્યુ હતુ. આ ફોટો ઐતિહાસિક હતો. જેમા ધોનીએ ફાઈનલ જીત્યા બાદ માથા પર મુંડન કરાવ્યુ હતુ અને ટ્રોફી પકડીને પોઝ આપ્યો હતો. જે ભારતીય ક્રિકેટની સૌથી પ્રતિષ્ઠિત ક્ષણોમાંની એક છે.
ટ્રોફી સાથે આઈકોનિક ફોટોશુટ એ ટુર્નામેન્ટનો જ એક ભાગ છે, જે ICC દ્વારા આયોજિત કરવામાં આવે છે. જે બાન્ડીંગ અને પ્રચારનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે.
Input Credit- Narendra Rathod-Ahmedabad
Published On - 5:33 pm, Mon, 9 March 26