Surendranagar: 20 જાન્યુઆરીથી મૂળીમાં સ્વામિનારાયણ મંદિરનો દ્વીશતાબ્દી મહોત્સવ, 500થી વધુ NRI આપશે હાજરી

|

Jan 17, 2023 | 10:00 AM

મહત્વનું છે કે મૂળીમાં શ્રીહરી ઘણો સમય રહ્યા હતા, જેથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં મૂળીનું અનેરું મહત્વ રહેલું છે. ભગવાન સ્વામિનારાયણે જે છ મંદિરો બંધાવ્યા હતા જેમાંનુ એક મૂળી સ્વામિનારાયણ મંદિર છે.

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીમાં આવેલા ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિરનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. 20 જાન્યુઆરીથી શરૂ થનારા મહોત્સવમાં 500થી વધુ NRI સત્સંગીઓ હાજર રહેશે. તેમજ આ મહોત્સવ 7 દિવસ સુધી ચાલશે. આ મહોત્સવ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજયપાલ દેવવ્રત આચાર્ય પણ ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત મોટી સંખ્યામાં સંતો , મહંતો અને ભાવિકો પણ ઉપસ્થિત રહેશે.

દ્વીશતાબ્દી  મહોત્સવમાં રોજ ઉમટશે એકથી દોઢ લાખ લોકો

જેમાં દરરોજ એકથી દોઢ લાખ લોકો મુલાકાત લે તેવી શક્યતા છે. આ તમામ હરિભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે મૂળીમાં શ્રીહરી ઘણો સમય રહ્યા હતા, જેથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં મૂળીનું અનેરું મહત્વ રહેલું છે. ભગવાન સ્વામિનારાયણે જે છ મંદિરો બંધાવ્યા હતા જેમાંનુ એક મૂળી સ્વામિનારાયણ મંદિર છે. જેથી દરરોજ સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પધારે છે.

Next Video