સુરેન્દ્રનગર જિલ્લામાં પવન સાથે પડેલા વરસાદના કારણે ખેતરો ખેદાન-મેદાન થયા છે.વરસાદ અને પવનના કારણે ઊનાળુ પાકને ભારે નુક્સાન થયું છે.બાજરી, તલ સહિતના ઊનાળુ પાકનો સોથ વળી ગયો છે. ભારે પવનના કારણે ખેતરમાં તલનો પાક આડો પડી ગયો છે.
તો બીજી તરફ લીંબુ, દાડમ, સરગવા જેવા બાગાયતી પાકોમાં પણ ભારે નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોની વર્ષભરની મહેનત પર વરસાદે પાણી ફેરવી દીધું છે.સુરેન્દ્રનગર જિલ્લાના મુળી થાન અને વઢવાણ પંથકમાં વરસાદના કારણે સૌથી વધુ નુક્સાન થયું છે. અસરગ્રસ્ત ખેડૂતોની માગણી છે કે સરકાર જલદી સરવે કરાવી સહાય જાહેર કરે છે.