ધોરણ-10 માં ગણિત બેઝિક રાખનાર વિદ્યાર્થી માટે ખુશખબર, વિજ્ઞાન પ્રવાહના B ગ્રુપમાં મેળવી શકશે પ્રવેશ

Gandhinagar: શિક્ષણ વિભાગ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 10 માં બેઝિક જેનું ગણિત હશે તેઓ પણ HSC માં B ગ્રુપ માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લઇ શકશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 1:58 PM

Gandhinagar: ધોરણ 11 ના વિજ્ઞાન પ્રવાહ (Science stream) માટે થઈને શિક્ષણ વિભાગે (Education Department) મોટો નિર્ણય કર્યો છે. મળેલી માહિતી અનુસાર ધોરણ 10 ગણિત બેઝિક રાખનાર વિદ્યાર્થીઓને હવે વિજ્ઞાન પ્રવાહના B ગ્રુપમાં પ્રવેશ મળશે. જણાવી દઈએ કે પહેલાં આ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકતા ન હતા. તો શિક્ષણ વિભાગ દ્વારા આ ઠરાવ પસાર કરાયો છે. ઠરાવ અનુસાર ધોરણ 10 માં બેઝિક જેનું ગણિત હશે તેઓ પણ HSC માં B ગ્રુપ માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લઇ શકશે.

જણાવી દઈએ કે આ શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ 2021-22 થી ધોરણ-10 માં ગણિતમાં બે વિકલ્પ આપવામાં અવ્યા છે. જેમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એમ બે પ્રકારના વિકલ્પ આપવા અંગે સરકારે નિર્ણય લીધો હતો. જેમાં હવે જેનું ગણિત બેઝિક હશે તેઓ પણ ગ્રુપ બીમાં પણ પ્રવેશ લઇ શકશે.

આ બાબતે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 માટેના ગણિત વિષયના પ્રશ્નપત્રનો નમુનો પણ તૈયાર કરવામાં આવ્યો હતો. અગાઉના નિયમ પ્રમાણે જે વિદ્યાર્થી 10 માં ધોરણમાં ગણિત બેઝિક રાખતો હતો તે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ ન મેળવી શકે એવો નિયમ હતો. જેને હવે બદલવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો: Vibrant Gujarat: આજે થશે 24,185 કરોડના MoU, કરોડોના રોકાણ સાથે આટલી રોજગારીનો અવસર

આ પણ વાંચો: Happy Birthday kartik aaryan : ‘ધમાકા બોય’ કાર્તિક આર્યને પોતાના બર્થ ડે ખાસ રીતે કર્યો સેલિબ્રેટ, જુઓ તસવીરો

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">