યાત્રાધામ શામળાજીમાં હોળી અને ધૂળેટીના તહેવારોને પ્રતિવર્ષ ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. શામળાજી દેવગદાધર વિષ્ણુ મંદિર ખાતે ભક્તો હોળી ધૂળેટીનો ઉત્સવ ઉત્સાહપૂર્વક મનાવતા હોય છે. કેસૂડા વડે તૈયાર કરવામાં આવેલ જળને ભગવાનને છાંટવા સાથે ભક્તો પર છાંટવામાં આવતુ હોય છે. આ સાથે જ ભક્તો ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે.
શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હોળી એટલે કે ફાગણ સુદન પૂનમના દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ પૂનમના દિવસે સવારે 6 વાગ્યે મંદિરના દ્વાર ખુલશે અને મંગળા આરતી સવારે પોણા સાત વાગ્યે કરવામાં આવશે.