ભાવનગરમાં જર્જરીત ઈમારત ધરાશાયી થવા મુદ્દે શક્તિસિંહે ઉઠાવ્યા સવાલ, કહ્યું સત્તાધિશો માત્ર નોટિસ આપી જવાબદારીમાંથી છટકી ન શકે- જુઓ Video

Bhavnagar: ભાવનગરના વાઘાવાડી વિસ્તારમાં ઈમારત ધરાશાયી થવા મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. શક્તિસિંહે જણાવ્યુ છે કે પાલિકા માત્ર નોટિસ આપી જવાબદારીમાંથી છટકી ન શકે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2023 | 8:17 PM

Bhavnagar: ભાવનગરમાં માધવ હિલ કોમ્પલેક્સના બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો. જેમાં અનેક લોકો દટાયા હતા. આ બિલ્ડિંગનો જર્જરીત ગેલેરીનો ભાગ ધરાશાયી થતા એક મહિલાનું મોત નિપજ્યુ છે. આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યુ છે કે આ એક અતિ ગંભીર પ્રકારની બેદરકારી છે અને તંત્ર માત્ર નોટિસ આપી જવાબદારીમાંથી છટકી ન શકે.

શક્તિસિંહે સવાલ ઉઠાવ્યો છે કે પાલિકા નોટિસ આપે છે એનો અર્થ એ થયો કે એમને પહેલેથી જાણ હતી જ કે બિલ્ડિંગ જર્જરીત છે અને પડવાની શક્યતા છે. માત્ર નોટિસ આપ્યા બાદ બેસી રહેવુ એ પણ ગુનાહિત બેદરકારી છે. શક્તિસિંહે જણાવ્યુ કે તમારે આનુવંશિક પગલા લેવા જોઈતા હતા. પાલિકાને જ્યારે જાણ થઈ કે ઈમારત જર્જરીત છે અને નોટિસ આપો છો તો એ આપ્યા બાદ પણ એ વિસ્તાર કદાચ ધરાશાયી થાય તો કોઈને પણ નુકસાન ન થાય તે જોવાની તકેદારી રાખવાના પગલા પાલિકાએ નથી ભર્યા તે હકીકત છે.

આ પણ વાંચો : Bhavnagar: શહેરના રસ્તા પર ખાડા રાજને લઇ વિપક્ષે મનપાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા

આ ઘટના પાછળ મહાનગરપાલિકાના અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે. શહેરમાં  મહાનગરપાલિકાના ચોપડે 169થી વધુ જર્જરીત મકાનો છે. તેની નોંધણી કરાઈ છે. જે પૈકી 139 મકાનો એવા છે જેને તાત્કાલિક દૂર કરવા જોઈએ. હાલ ચોમાસાની વાત કરીએ તો અપેક્ષા કરતા અને જે સ્થિતિ સર્જાઈ સમગ્ર ગુજરાતની અંદર ત્યારે વરસાદ વધુ માત્રામાં તમામ શહેરોમાં પડી ચુક્યો છે. ત્યારે આ પ્રકારના જર્જરીત મકાનો મોટી મુશ્કેલી સર્જી શકે છે. ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપના શાસકો અને વિપક્ષ બંનેની નિષ્ક્રિયતાનું પરિણામ છે. શહેરમાં અનેક એવી મહાકાય હાઈરાઈઝ ઈમારતો છે જેમા બેઝમેન્ટમાં પાણી ભરાય છે અને ગમે ત્યારે બિલ્ડિંગ ધરાશાયી થવાની શક્યતા રહેલી છે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

ભાવનગર અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">