રાજકોટમાં કોરોનાના નવા વેરીએન્ટને લઈને મનપા તૈયાર છે.રાજકોટ મનપાનાં આરોગ્ય કેન્દ્રોમાં શરદી-ઉધરસ અને તાવના ગંભીર લક્ષણો જણાય તો રેપીડ ટેસ્ટ શરૂ કરાયા છે.આરોગ્ય અધિકારીએ લોકોને સાવચેતી રાખવા માટે પણ સલાહ આપી છે.મહત્વનું છે કે ગુજરાતમાં કોરોનાનાં નવા વેરીએન્ટની એન્ટ્રી થઈ છે.
મનપાનો આરોગ્ય વિભાગ કોઈ બેદરકારી રાખવા માગતો નથી અને મનપાના તમામ શહેરી આરોગ્ય કેન્દ્રોમાં શરદી-ઉધરસ અને તાવના લક્ષણો દેખાય તો રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે અને જરૂર જણાય તેવા દર્દીઓના RTPCR ટેસ્ટ પણ કરવામાં આવશે.
આ સાથે જ આરોગ્ય અધિકારીએ લોકોને સાવચેતી રાખવા માટે પણ સલાહ આપી છે. તો બીજી તરફ રાજકોટમાં આજે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. તો અક્ષર પર રહેતી 52 વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. તો મહિલાને તાવ અને શરદીના લક્ષણ હોમ આઈસોલેટ થયા છે.