Gujarati Video : અમદાવાદના રખિયાલથી ગુમ થયેલા 3 બાળકો રેલવે સ્ટેશન પરથી મળી આવ્યા
આ બાળકો ગત સોમવારે ઘરેથી રમવા જવાનું કહીને નીકળ્યા હતા. જો કે સાંજ સુધી ઘરે નહિ આવતા પરિવારજનોએએ તેમની શોધખોળ શરૂ કરી હતી. જો ન મળતા તેમણે પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જો કે આ બાળકો મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
અમદાવાદના(Ahmedabad) રખિયાલથી(Rahkiyal) ગુમ થયેલા 3 બાળકો(Child) મળી આવ્યા છે. આ ત્રણ બાળકો કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળી આવ્યા છે. જેમા મળતી માહિતી મુજબ આ બાળકો બે દિવસ સુધી કાલુપુર રેલવે સ્ટેશન પર જ રહ્યા હતા. જેમાં રેલવે પોલીસના જવાનોને ધ્યાનમાં આવતા બાળકોને રખિયાલ પોલીસ મથકે પહોંચાડ્યા હતા. આ બાળકો ગત સોમવારે ઘરેથી રમવા જવાનું કહીને નીકળ્યા હતા.
જો કે સાંજ સુધી ઘરે નહિ આવતા પરિવારજનોએએ તેમની શોધખોળ શરૂ કરી હતી. જો ન મળતા તેમણે પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જો કે આ બાળકો મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Follow Us
Latest Videos
બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય
ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
