RAJKOT : સિંચાઈનું પાણી નહીં મળે તો ધોરાજીના ખેડૂતોનો પાક નિષ્ફળ જશે

એક મહિનો વિતી જવા છતા વરસાદના એંધાણ નથી જણાઈ રહ્યા. જેથી ખેડૂતોની ચિંતા દિન-પ્રતિદિન વધતી જાય છે.ઊભો પાક મુરાજાય જવાની ભીતિ વચ્ચે ખેડૂતો કેનાલ મારફત સિંચાઇ માટે પાણી આપવા માંગ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 6:50 PM

RAJKOT : વરસાદ ખેંચાઈ જતા ધોરાજી પંથકના ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. એક મહિનો વિતી જવા છતા વરસાદના એંધાણ નથી જણાઈ રહ્યા. જેથી ખેડૂતોની ચિંતા દિન-પ્રતિદિન વધતી જાય છે. સરકારે પણ ડેમોમાં પાણીનો જથ્થો અનામત રાખવા પિયત માટેનું પાણી આપવાનો ઈનકાર કર્યો છે.

ગઈકાલે 15 ઓગષ્ટના રોજ .નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે ગુજરાતના ડેમમાં ચાલુ વર્ષે 30 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી. આ વર્ષે ખેતી ચોમાસાના પાણી પર જ નિર્ભર રહેશે.સરદાર સરોવર ડેમ સહિત મોટાભાગના ડેમનો જથ્થો પીવાના પાણી માટે રિઝર્વ રખાયો છે. જો હવામાન ખાતાની આગાહી પ્રમાણે અઠવાડિયામાં સારો વરસાદ થાય તો જ ખેતીને બચાવી શકાશે.

તો બીજી બાજુ રાજ્યના કૃષિપ્રધાન આર સી ફળદુએ ખેડૂતોને હૈયાધારણા આપી હતી કે જળાશયોમાં પીવાના પાણીનો સંગ્રહ કર્યા બાદ જ્યાં જરૂર હશે ત્યાં સિંચાઈ માટે પાણી આપવામાં આવશે.

આ સ્થિતિમાં ખેડૂતો સંપૂર્ણ રીતે વરસાદ પર મદાર રાખી બેઠા છે. સાથે સાથે સરકારનો નિર્ણય ખેડૂત વિરોધી હોવાનો પણ આક્ષેપ કરી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે નર્મદામાં પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો છે જે ખેડૂતને પિયત માટે મળવો જોઈએ પરંતુ સરકાર પિયત માટે પાણી નથી આપી રહી. ઊભો પાક મુરાજાય જવાની ભીતિ વચ્ચે ખેડૂતો કેનાલ મારફત સિંચાઇ માટે પાણી આપવા માંગ કરી છે.

આ પણ વાંચો : JUNAGADH : વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાનો ભય, સિંચાઈનું પાણી આપવા ખેડૂતોની માંગ

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">