Rajkot : કમિશન કાંડને લઈ પોલીસ કમિશનર પર તવાઇ, મનોજ અગ્રવાલનું વધુ એક વખત નિવેદન નોંધાયુ

તપાસ ટીમે અગાઉ ફરિયાદી સખિયા બંધુ, તેના સાક્ષીઓ, મનોજ અગ્રવાલ, પીઆઇ ગઢવી, પીએસઆઇ સાખરા સહિતના લોકોના નિવેદનો નોંધ્યા હતા. શુક્રવારે ફરીથી જગજીવન સખિયા તપાસનીશ અધિકારી સમક્ષ રજૂ થયા હતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 1:07 PM

રાજકોટમાં (Rajkot) કમિશન કાંડને (Commission scandal) લઈ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની (Police Commissioner Manoj Agarwal)મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. મનોજ અગ્રવાલ સામે કડક પગલાં ભરાય તેવી શક્યતા સેવાઈ રહી છે. મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાંચના પીઆઇ ગઢવી સહિતના સ્ટાફ સામે રૂપિયા 75 લાખના કમિશન કાંડની તપાસ ટ્રેનિંગ વિભાગના ડીજીપી વિકાસ સહાય ચલાવી રહ્યા છે. તપાસ ટીમે અગાઉ ફરિયાદી સખિયા બંધુ, તેના સાક્ષીઓ, મનોજ અગ્રવાલ, પીઆઇ ગઢવી, પીએસઆઇ સાખરા સહિતના લોકોના નિવેદનો નોંધ્યા હતા. શુક્રવારે ફરીથી જગજીવન સખિયા તપાસનીશ અધિકારી સમક્ષ રજૂ થયા હતા અને મહત્વના પુરાવા રજૂ કર્યા હતા. પુરાવા હાથ લાગ્યા બાદ શુક્રવારે રાત્રે જ કમિશનર અગ્રવાલને ગાંધીનગર હાજર થવા સૂચના અપાઇ હતી અને શનિવારે વધુ એક વખત અગ્રવાલનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

 

રાજકોટ પોલીસ કમિશનર સામે ગંભીર આરોપ લાગ્યા છે. પોલીસ હપ્તાખોરી કરતી હોવાનો ધારાસભ્યએ આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ધારાસભ્ય ગોવિંદ પટેલે આરોપ લગાવતા કહ્યું કે પોલીસ કમિશનરે રૂ.75 લાખ પડાવ્યા છે અને હજુ પણ રૂ.30 લાખની ઉઘરાણી કરે છે. તેમજ ઠગાઈની 8 કરોડની રકમ પેટે 15% લેખે ઉઘરાણું કરે છે.

આ સિવાય ગોવિંદ પટેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ફરિયાદ કોઇ સાંભળતું જ ન હતું. તેમજ જરૂર પડશે ત્યારે હું પુરાવા આપીશ. તેમજ પુરાવા હતા એટલે મેં ફરિયાદ કરી અને કાયદો અને વ્યવસ્થાને અનુસંધાને જ આ પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમજ મારી જાણમાં આવ્યું એટલે જ મેં ફરિયાદ કરી છે.

આ પણ વાંચો : કોંગ્રેસને બાય બાય કરનાર જયરાજસિંહ પરમાર મંગળવારે ભાજપમાં જોડાશે, ટ્વિટ કરીને જાણકારી આપી

આ પણ વાંચો : અમરેલી : પાલીતાણા- શેત્રુંજી ડિવિઝન સિંહો માટે કેમ છે જોખમી ? જાણો શું છે કારણ ?

Follow Us:
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
g clip-path="url(#clip0_868_265)">