Rajkot: સિલિન્ડર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત, અન્ય બે હજુ પણ સારવાર હેઠળ

સિલિન્ડર બ્લાસ્ટ થતાં ફાટી નીકળેલી આગમાં ઘરવખરી સામાન ખાખ થઇ ગયો હતો. બાજુમાં આવેલા મકાનોની દિવાલો ધ્રુજી ઉઠી હતી. આ બનાવે આસપાસના લોકોમાં ચકચાર જગાવી મૂકી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 11:08 AM

રાજકોટ (Rajkot)ના જામનગર રોડ પાસે આવેલા સરકારી આવાસમાં સિલિન્ડર થયેલા બ્લાસ્ટ (Gas Cylinder Blast)માં એક મહિલાનું મોત (Women Dead) થયું છે. 5 ફેબ્રુઆરીએ સવારે 8 કલાકે આ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. ગંભીર રીતે દાઝેલા મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે.

ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં મહિલાનું મોત

રાજકોટના જામનગર રોડ પર ડાંગર કોલેજ પાછળ આવેલી એક સોસાયટીમાં 5 ફેબ્રુઆરીએ સવારે 8 કલાકે દિનેશ પરમાર નામના વ્યક્તિના ઘરે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. ગેસનો બોટલ બ્લાસ્ટ થતાં ઘરમાં આગ લાગી હતી. ધડાકાભેર અવાજ થતા આસપાસના રહેવાસીઓ એકત્ર થઈ ગયા હતા અને 108ની મદદથી ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનામાં ઘરના 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત ત્રણેય લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં દિનેશભાઈના પત્ની મધુબેન પરમારની હાલત અત્યંત ગંભીર હતી. સારવાર દરમિયાન મધુબેન પરમારનું મોત થયું છે. મધુબેનને બચાવવા જતા તેમના પતિ પણ ઈજાગ્રસ્ત થયા હતા, જેમની હાલમાં સારવાર ચાલી રહી છે.

ઘરવખરી પણ બળીને ખાક

સિલિન્ડર બ્લાસ્ટ થતાં ફાટી નીકળેલી આગમાં ઘરવખરી સામાન ખાખ થઈ ગયો હતો. બાજુમાં આવેલા મકાનોની દિવાલો ધ્રુજી ઉઠી હતી. આ બનાવે આસપાસના લોકોમાં ચકચાર જગાવી મૂકી હતી. દિનેશભાઈના પત્નીનું ઘટનામાં મોત થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

આ પણ વાંચો- Gandhinagar: PMJAY-મા યોજના હેઠળ લાભાર્થી દર્દીઓને દાવા-ચૂકવણીમાં ગુજરાત દેશમાં પ્રથમ

આ પણ વાંચો- અમદાવાદીઓને મળ્યુ નવુ નજરાણુ, હવે સાયન્સ સિટીમાં પણ હેલિકોપ્ટર જોયરાઈડ સેવા શરૂ

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">