Rajkot : ભાજપ નેતા કુંવરજી બાવળિયા પણ કોરોના સંક્રમિત, હોમ આઇસોલેટ થયા

|

Jan 10, 2022 | 10:14 PM

કુંવરજી બાવળિયાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેવો હોમ આઇસોલેટ થયા છે. તેમજ તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવી લેવા માટે અપીલ કરી છે.

ગુજરાતના(Gujarat) રાજકોટના(Rajkot)જસદણ વીંછીયાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા( Kunvarji Bavaliya ) પણ કોરોના(Corona)સંક્રમિત થયા છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેવો હોમ આઇસોલેટ થયા છે. તેમજ તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવી લેવા માટે અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે  કે, ગુજરાતમાં 10 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 6097 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના લીધે બે વ્યકિતના મૃત્યુ થયા છે. જ્યારે કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનના નવા 25 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 32469  થઇ છે.

ગુજરાતમાં 10 જાન્યુઆરીએ નોંધાયેલા કોરોના કેસમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 1893, સુરતમાં 1778, વડોદરામાં 410, વલસાડમાં 251, રાજકોટમાં 191, ગાંધીનગરમાં 131, ખેડામાં 126, સુરતમાં 114, મહેસાણામાં 111, કચ્છમાં 109, નવસારીમાં 107, ભાવનગરમાં 93, આણંદમાં 88, ભરૂચમાં 78, ગાંધીનગર જિલ્લામાં 64, વડોદરા જિલ્લામાં 60, રાજકોટ જિલ્લામાં 58, મોરબીમાં 51, જામનગરમાં 47, જૂનાગઢ માં 33

અમદાવાદ જિલ્લામાં 30, ગીર સોમનાથ 27, પંચમહાલ 25, દાહોદ 24, અમરેલી 23, અરવલ્લી 21, સુરેન્દ્રનગર 19, બનાસકાંઠા 18, પાટણ 17, ભાવનગર 15, મહીસાગર 15, તાપી 13, જામનગર 11, જૂનાગઢ જિલ્લો 11, નર્મદા 11, દ્વારકા 10, સાબરકાંઠા 10, છોટા ઉદેપુર 03 અને બોટાદ 01 કેસ નોંધાયો છે.

આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટમાં કોરોના બ્લાસ્ટ, 51 કર્મચારીઓ સહિત 78 લોકો કોરોના પોઝિટિવ

આ પણ વાંચો :  ANAND : તબીબી આલમને શર્મશાર કરતી ઘટના, તબીબોના અમાનુષી વર્તનનો વીડિયો વાયરલ

Published On - 10:10 pm, Mon, 10 January 22

Next Video