કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે.રાહુલ ગાંધી અમદાવાદના રાજીવ ગાંધી ભવન એટલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય આવશે.રાહુલ ગાંધીનો આ પ્રવાસ ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ મહત્વપૂર્ણ અને સૂચક માનવામાં આવી રહ્યો છે કેમ કે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાની ઘટના બાદ પહેલીવાર રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે.
આ પથ્થરમારાની ઘટનામાં અટકાયત કરેલા કોંગ્રેસના કાર્યકરો સાથે અને તેમના પરિવારજનો સાથે રાહુલ ગાંધી મુલાકાત કરી શકે છે.એટલું જ નહીં રાજકોટનો અગ્નિકાંડ, વડોદરાનો હરણી બોટકાંડ, સુરતનો તક્ષશિલાકાંડ અને મોરબીનો ઝૂલતાપુલ કાંડના પીડિતો સાથે તેમના પરિવારજનો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે. જે બાબત ખૂબ સૂચક માનવામાં આવી રહી છે. જો કો અન્ય કોઈ ઘટના ન બને તેના માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.