લોકસભાની બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલના રોજ થવાનું છે. બીજા તબક્કાનું મતદાન પૂરુ થતા જ નેતાઓના ધામા ગુજરાતમાં જોવા મળી શકે છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સચિન પાયલોટ સહિતના નેતાઓ ગુજરાતમાં સભાઓ કરે તેવી સંભાવના છે. 27 એપ્રિલે પ્રિયંકા ગાંધી ગુજરાતમાં બે સભાઓ કરશે.
તેમજ 27 એપ્રિલના રોજ ધરમપુરમાં સભાનું આયોજન કરી શકે છે. અન્ય એક સભા મધ્ય કે ઉત્તર ગુજરાતમાં સભા કરી શકે છે. રાહુલ ગાંધી અને સચિન પાયલોટની સભા અંગે આજે નિર્ણય લેવામાં આવી શકે છે.કોંગ્રેસની આજે બેઠક યોજાવાની છે. જેમાં કોંગ્રેસના કયા નેતા કયા સભા કરશે એ અંગે નિર્ણય લેવામાં આવશે.