Rajkot : રક્ષણહાર જ બન્યા મોતનું કારણ, પોલીસના મારથી યુવકનું થયું મોત, જુઓ Video

|

Apr 25, 2024 | 11:02 AM

રાજકોટ : રાજકોટ સીટીમાં પોલીસના મારથી એક યુવકનું મોત થયાના ન્યૂઝ મળ્યા છે. પોલીસે કોઈ કારણોસર યુવકને માર મારતા મામલો મોતમાં પલટાયો હતો.

રાજકોટમાં એક યુવકની મોતની ઘટના ઘટી છે.  પોલીસે કોઈ કારણોસર માર મારતા રાજુ સોલંકી નામના યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે. ASI અશ્વિન કાનગડે આ યુવકને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

પાડોશીના ઝગડાનું સમાધાન કરાવવા માટે યુવાન ગયો હતો ને તેમાં તેને કસ્ટડીમાં લેવાયો હતો અને પોલીસના મારથી વધુ એક યુવકનું મોત થયું હતું.

બનાવ ડબલ કસ્ટોડિયલ ડેથમાં પલટાયો

ગઈ તારીખ 14 એપ્રિલના રોજ આ બનાવ બન્યો હતો. આંતરિક ઝઘડામાં હમીર ઉર્ફે ગોપાલ રાઠોડ અને રાજુ સોલંકી માર મારવામાં આવ્યો હતો. જેમાં ગોપાલ રાઠોડનું મોત થયું હતું. ત્યાર બાદ રાજુ સોલંકીનું પણ મોત થયું હતું. આ મૃત્યુ થતા બનાવ ડબલ કસ્ટોડિયલ ડેથમાં પલટાયો હતો. હાલમાં વાત કરીએ ASI અશ્વિન કાનગડની તો તે પોલીસ કસ્ટડીમાં છે.

 

Published On - 10:42 am, Thu, 25 April 24

Next Video