મોદી કેબિનેટમાં ગુજરાતના પ્રતિનિધિત્વને લઇને મહત્વના સમાચાર ! સી.આર.પાટીલને મળી શકે છે મંત્રી મંડળમાં સ્થાન- Video

|

Jun 09, 2024 | 12:15 PM

દેશની રાજધાની દિલ્હીમાં આજે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. આ પહેલા જ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓને આજે સવારથી ફોન આવી રહ્યાં છે. ત્યારે મોદી કેબિનેટમાં ગુજરાતના પ્રતિનિધિત્વને પણ મહત્ત્વના સમાચાર મળી રહ્યાં છે.

દેશની રાજધાની દિલ્હીમાં આજે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. આ પહેલા જ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓને આજે સવારથી ફોન આવી રહ્યાં છે. ત્યારે મોદી કેબિનેટમાં ગુજરાતના પ્રતિનિધિત્વને પણ મહત્ત્વના સમાચાર મળી રહ્યાં છે.

ગુજરાતમાંથી અમતિ શાહ સહિત પણ 3-4 સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે તેવા એંધાણ છે. નવસારી લોકસભા બેઠકના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પણ પ્રધાનપદ મળે તેવી શક્યતા છે.

પ્રાપ્તથતી વિગતો અનુસાર સી.આર. પાટીલ વડાપ્રધાનના નિવાસ સ્થાને પહોંચ્યા હોવાનું સામે આવી રહ્યુ છે. સી.આર. પાટીલ સતત ત્રીજી વખત નવસારી બેઠક પરથી સાંસદ બન્યા છે. આ સાથે જ તે સી.આર.પાટીલ 7 લાખથી વધારે મતની લીડથી લોકસભાની ચૂંટણીમાં જીત થઈ હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:13 pm, Sun, 9 June 24

Next Video