AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surendranagar : 108 એમ્બ્યુલન્સ વરસાદી પાણી ભરેલા અંડરપાસમાં ફસાઇ, સમયસર સારવાર ન મળતા મહિલાનું મોત, જૂઓ Video

Surendranagar : 108 એમ્બ્યુલન્સ વરસાદી પાણી ભરેલા અંડરપાસમાં ફસાઇ, સમયસર સારવાર ન મળતા મહિલાનું મોત, જૂઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 3:48 PM
Share

સુરેન્દ્રનગરમાં ઠેર ઠેર રોડ લેવલ સુધી વરસાદી પાણી ભરાયા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પાણી ભરાવાના કારણે એક એમ્બ્યુલન્સ બસ ફસાઇ હતી. એમ્બ્યુલન્સ ન નીકળી શકતા મહિલાનું મોત થયુ છે.

Surendranagar : સુરેન્દ્રનગરમાં છેલ્લા બે દિવસથી અવરીત વરસાદ (Rain ) વરસી રહ્યો છે. જેના કારણે ઠેર ઠેર રોડ લેવલ સુધી વરસાદી પાણી ભરાયા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પાણી ભરાવાના કારણે એક એમ્બ્યુલન્સ બસ ફસાઇ હતી. એમ્બ્યુલન્સ ન નીકળી શકતા મહિલાનું મોત થયુ છે. ઘટના કઇક એવી છે કે લખતર પાસે આડેસર-લીલાપુર વચ્ચેના અંડરપાસમાં વરસાદ બાદ પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયા હતા. આ રસ્તા પરથી 108 એમ્બ્યુલન્સ (108 Ambulance) નીકળતા તે ફસાઇ ગઇ હતી.

આ પણ વાંચો-Rajkot: 7 જુલાઈ રાજકોટ સ્થાપના દિન, રાજવીઓએ સ્થાપેલી વિરાસત હજુ અડીખમ, જાણો રાજકોટની અજાણી વાતો

108 એમ્બ્યુલન્સ ન નીકળી શકતા મહિલાને સમયસર સારવાર ન મળી અને તેનું મોત થયુ છે. મહિલાના મોત બાદ પરિવારમાં ભારે રોષ ફેલાયો છે. અંડરપાસ કોઝવેમાં પાણી ભરાઇ ગયા બાદ ન પાણીનો નિકાલ થયો ન હતો. કોઝવેમાં પાણી ભરાઈ જતા ચાર ગામોમાં અવરજવર બંધ થઇ ગઇ છે.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">