Panchmahal: કાલોલમાં રેફરલ હોસ્પિટલને સ્થાનિકોએ કરી તાળાબંધી, જુઓ Video

Panchmahal: પંચમહાલમાં કાલોલ રેફરલ હોસ્પિટલને સ્થાનિકોએ તાળાબંધી કરી. સતત તબીબોની અછત અને સ્ટાફની ગેરવર્તણુકથી રોષે ભરાયેલા સ્થાનિકોએ હોસ્પિટલને તાળાબંધી કરી આક્રોષ વ્યક્ત કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2023 | 12:02 AM

પંચમહાલમાં કાલોલ રેફરલ હોસ્પિટલની સ્થાનિકોએ તાળાબંધી કરી છે. સતત તબીબોની અછત અને સ્ટાફની ગેરવર્તણૂકથી ત્રસ્ત સ્થાનિકોએ હોસ્પિટલની તાળાબંધી કરી આક્રોશ વ્યક્ત કર્યો છે. યોગ્ય અને નિયમિત સારવાર ન મળતા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવી પડે છે. પરિણામે ભારે આર્થિક બોજ પડતો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ સાથે છેલ્લા ઘણા સમયથી આયુષ તબીબના ભરોસે હોસ્પિટલ ચાલતી હોવાનો પણ સ્થાનિકો દાવો કરી રહ્યા છે.

તો બીજી તરફ સ્થાનિકોના આક્ષેપો સામે તંત્રએ રેફરલ હોસ્પિટલનો બચાવ કર્યો છે. સમગ્ર મામલે કાલોલ THOએ જણાવ્યું કે હોસ્પિટલના તબીબો રજા પર ગયા હોવાથી હોસ્પિટલમાં તબીબોની અછત છે.

આ પણ વાંચો: Panchmahal: હાલોલમાં પર્યાવરણલક્ષી નવતર પ્રયોગ, પ્લાસ્ટિકની નકામી બોટલમાંથી 36 મીટરની વોલ અગેન્સટ કલાઇમેટ ચેન્જ બનાવાઇ

છેવાડાના અંતરિયાળ વિસ્તારના ગામોમાંથી આવતા ગ્રામીણ દર્દીઓની ડૉક્ટર દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવતી નથી. જેના કારણે દર્દીઓને સારવાર માટે હાલાકી ભોગવવી પડે છે. અનેકવાર રેફરલ હોસ્પિટલ દ્વારા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવે છે. જેના કારણે  હોસ્પિટલની નિષ્ક્રીયતાથી કંટાળી ત્રસ્ત થયેલા સ્થાનિક લોકો આજે કાલોલ રેફરલ હોસ્પિટલમાં તાળાબંધી કરી હતી અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. જ્યારે આ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. નિમેષ દોશીને પૂછતા તેમણે જણાવ્યું કે ફરજ પરના ડોકટર કોઈના કોઈ કારણોસર રજા ઉપર છે.

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">