અમદાવાદ મનપામાં આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટ પર ચર્ચા કરાઈ.. જેમાં સત્તાધીશોએ દાવો કર્યો કે, મનપા સંચાલિત શાળાઓમાં સારામાં સારું શિક્ષણ આપવામાં આવે છે પરંતુ, વિપક્ષ નેતાએ એવો તો સવાલ ઉઠાવ્યો કે સામાન્ય સભામાં થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો.. અમરાઈવાડીના વિપક્ષી કોર્પોરેટર જગદીશ રાઠોડે સવાલ કર્યો કે, સામાન્ય સભામાં બેઠેલા તમામ કોર્પોરેટરોમાંથી કોના દીકરા કે દીકરી AMC સંચાલિત શાળામાં અભ્યાસ કરે છે?.. આ સવાલ પર જવાબ મળ્યો કે, એક પણ કોર્પોરેટરના બાળકો મનપા સંચાલિત શાળામાં ભણતા નથી. વધુમાં બાળકોના યુનિફોર્મ અને વિદ્યાર્થીઓના પ્રવાસ માટે ગત વર્ષે ફાળવાયેલા બજેટ મુદ્દે પણ આક્ષેપ થયા.
બીજી તરફ સમગ્ર મામલે સ્કૂલ બોર્ડના ચેરમેને વળતો જવાબ આપ્યો. કહ્યું કે, વિપક્ષ દ્વારા માત્ર ટીકા કરવામાં આવે છે. દર વર્ષે સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે અને કેટલીક શાળાઓમાં તો વેઈટિંગ ચાલે છે.
Input Credit- Jignesh Patel- Ahmedabad