દિવાળી પર્વ પર ફૂલોના ભાવમાં વધારો, ગુલાબનો ભાવ 250 રૂપિયા પહોંચ્યો

દર વર્ષની સરખામણીએ આ વર્ષે ફુલોના ભાવ તો વધ્યાં છે પણ સામે ઘરાકીમાં તેની કોઈ અસર થઈ નથી. ફુલોના ભાવ વધ્યાં તેમ છતાં લોકો ખરીદી કરી રહ્યાં છે જે વેપારીઓ માટે સારી વાત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 11:40 PM

દિવાળીના(Diwali) તહેવારમાં ફુલોના ભાવમાં(Flower Price)  પણ વધારો થયો છે. દિવાળીના તહેવારમાં લોકો ઘર કે ઓફિસ સજાવટ માટે અને પૂજા માટે ફુલોની ખરીદી કરતા હોય છે ત્યારે આ વર્ષે દરેક ફુલોના ભાવમાં કિલોએ 60થી 100 ટકા સુધીનો વધારો જોવા મળે છે.

જેમાં ફુલોના ભાવની વાત કરીએ તો ગલગોટા કે જેનો ભાવ સામાન્ય દિવસોમાં 30 રૂપિયા કિલોની  આસપાસ હોય છે તેનો ભાવ અત્યારે 60 રૂપિયા કિલો  છે, તો ગુલાબ કે જેનો ભાવ ચાલુ દિવસોમાં કિલોએ  120 રૂપિયાની આસપાસ હોય છે તેનો ભાવ અત્યારે અઢીસો થી ત્રણસો રૂપિયા કિલો  છે.

જ્યારે  લીલી કે જેનું બંડલ પહેલા 5 રૂપિયામાં મળતું હતું તેનો ભાવ અત્યારે 15 રૂપિયા થઈ ગયો છે.તો સેવંતી કે જેનો ભાવ પહેલા 100 રૂપિયાની આસપાસ હતો તેનો ભાવ અત્યારે 160 રૂપિયાએ પહોંચી ગયો છે. ઈંધણના સતત વધતા ભાવ અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આ વર્ષે જે વધારે વરસાદ પડ્યો છે તેના કારણે ફુલોના ભાવમાં પણ વધારો થયો છે.

જો કે દર વર્ષની સરખામણીએ આ વર્ષે ફુલોના ભાવ તો વધ્યાં છે પણ સામે ઘરાકીમાં તેની કોઈ અસર થઈ નથી. ફુલોના ભાવ વધ્યાં તેમ છતાં લોકો ખરીદી કરી રહ્યાં છે જે વેપારીઓ માટે સારી વાત છે.

 

આ પણ વાંચો : વડોદરા કોર્પોરેશનના આરોગ્ય તંત્ર વિરુદ્ધ વિપક્ષ કોંગ્રેસે કામગીરીને લઇને સવાલ ઉઠાવ્યા

આ પણ વાંચો : ત્રિરંગા કાર્યક્રમ આપણા અને સૈન્યના પરિવારો વચ્ચે આત્મીયતા કેળવવાનો શ્રેષ્ઠ પ્રયાસ : હર્ષ સંઘવી

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">