Bharuch Rain: ભરૂચ જિલ્લા માટે રાહતના સમાચાર, પૂરનું સંકટ ટળ્યા બાદ તંત્રએ સફાઈ કામગીરી શરૂ કરાવી, જુઓ Video
નર્મદા નદીના પાણી ઓસર્યા બાદ તંત્રએ સફાઈ કામગીરી હાથ ધરી છે. સફાઈ અને રોગચાળાને દૂર રાખવાની કવાયત તેજ કરવામાં આવી છે. ભરૂચ અને અંકલેશ્વરમાં સફાઈકર્મીઓની ટીમો ઉતારવામાં આવી છે. ગાંધીબજાર, દાંડિયાબજાર અને ધોળીકુઇના વેપારીઓને ભારે નુકસાન પહોંચ્યું છે.
Bharuch Rain : ભરૂચ જિલ્લા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાંથી પૂરનું (Flood) સંકટ ટળ્યું છે. તો બીજી તરફ પાણી ઓસર્યા બાદ તંત્રએ સફાઈ કામગીરી શરૂ કરાવી છે. વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસતા નુકસાન પહોંચ્યું છે. પૂરના કારણે કરોડોનું નુકસાન થયુ હોવાનું અનુમાન છે. જો કે, નર્મદા નદી હજુ તેની ભયજનક જળસપાટીથી 2 ફૂટ ઉપર વહી રહી છે.
નર્મદા નદીના પાણી ઓસર્યા બાદ તંત્રએ સફાઈ કામગીરી હાથ ધરી છે. સફાઈ અને રોગચાળાને દૂર રાખવાની કવાયત તેજ કરવામાં આવી છે. ભરૂચ અને અંકલેશ્વરમાં સફાઈકર્મીઓની ટીમો ઉતારવામાં આવી છે. ગાંધીબજાર, દાંડિયાબજાર અને ધોળીકુઇના વેપારીઓને ભારે નુકસાન પહોંચ્યું છે. તો અંક્લેશ્વરના નર્મદા કાંઠા વિસ્તારમાં મોટી સંખ્યામાં પશુઓના મોત પણ થયા છે. દીવારોડ ઉપર એક જ ફાર્મમાં 50થી વધુ પશુના ડૂબી જવાથી મોત થયા છે.
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
