Breaking News : વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન….

Breaking News : વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન….

| Updated on: Aug 02, 2026 | 4:19 PM

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના દંખેડા ગામે ચાર મહિના પહેલા બનેલી દેવ સિંચાઈ માઇનોર કેનાલમાં ભંગાણ સર્જાયું છે. કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતાં ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો ચિંતિત છે.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલ દંખેડા ગામ નજીક એક આઘાતજનક ઘટના સામે આવી છે, જ્યાં દેવ સિંચાઈ માઇનોર કેનાલમાં મોટું ભંગાણ સર્જાયું છે. આ કેનાલનું નિર્માણ માત્ર ચાર મહિના પહેલા જ થયું હતું, તેમ છતાં તેમાં ગાબડું પડતાં તેની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

કેનાલમાં ભંગાણ પડવાને કારણે પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું, જેના પરિણામે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. પાણીમાં પાક ધોવાઈ જતાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે અને તેઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતો દ્વારા નુકસાનનું તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી રહી છે.

આ ઘટના બાદ ગ્રામજનો અને ખેડૂતો દ્વારા બાંધકામની નબળી ગુણવત્તા અંગે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટર સામે ભ્રષ્ટાચારના પણ ગંભીર આરોપો લાગ્યા છે. ખેડૂતોએ આ સમગ્ર મામલે તાત્કાલિક ટેકનિકલ તપાસ, જવાબદારી નક્કી કરવા અને નુકસાનગ્રસ્ત પાક માટે યોગ્ય વળતર આપવાની માંગ કરી છે. આ પ્રકરણે ફરી એકવાર જાહેર માળખાકીય પરિયોજનાઓની ગુણવત્તા પર ચર્ચા જગાવી છે.

વડોદરામાં ભયાવહ ભૂવો, માળખાકીય સુવિધાઓ અને ડ્રેનેજ સિસ્ટમ પર સવાલ, જુઓ

Published on: Aug 02, 2026 04:18 PM
Follow Us
Loading...
Unable to load recommendations.