Narmada : સરદાર સરોવર ડેમની જળ સપાટી 138.68 મીટરે પહોંચી, ડેમના 23 દરવાજા ખોલી દેવાયા, જુઓ Video

|

Sep 18, 2023 | 9:11 AM

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) ભયજનક સપાટીની ઉપર વહી રહ્યો છે. સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાઇ જતા એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ નર્મદા નદીમાં ડેમનું પાણી છોડાતા કાંઠા વિસ્તારોને એલર્ટ (Alert) કરવામાં આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટરે પહોંચી છે.

Narmada :  ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) ભયજનક સપાટીની ઉપર વહી રહ્યો છે. સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાઇ જતા એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ નર્મદા નદીમાં ડેમનું પાણી છોડાતા કાંઠા વિસ્તારોને એલર્ટ (Alert) કરવામાં આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટરે પહોંચી છે.

આ પણ વાંચો-Rain Breaking Video : વડોદરાના વ્યાસ બેટ પર ફસાયેલા લોકોને બચાવવા આર્મી દ્વારા હાથ ધરાયુ રેસ્ક્યુ ઓપરેશન

ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી કાંઠાના ગામો પ્રભાવિત થયા છે. સતત વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હાલ નર્મદા ડેમમાં 7 લાખ 15 હજાર ક્યુસેક પાણીની આવક છે. જ્યારે ડેમમાંથી પાણીની જાવક 5.95 લાખ ક્યુસેક છે.બીજી તરફ નર્મદાના માંગરોળમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા છે. સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાતા ગામમાં પાણી ઘૂસ્યા છે. NDRFની ટીમને પણ મદદ માટે મુશ્કેલી નડી રહી છે.

પાણીની વિપુલ માત્રામાં આવક થતા તંત્ર સતત નિરીક્ષણ કરી રહ્યુ છે. નીચાણવાળા વિસ્તારોંમાં પૂરની સ્થિતિને ખાળવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે.રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 18 લાખ ક્યૂસક પાણી નદીમાં છોડવામાં આવ્યુ છે. ડેમના 23 દરવાજા ખોલ્યા હોવાથી નર્મદા ડેમથી 10 કિમી દૂર ગરુડેશ્વર મુખ્ય હાઈવે પર પાણી ભરાયા છે. ગરુડેશ્વરથી રાજપીપળા જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. તો ગરુડેશ્વર હાઈવે પર નર્મદા જિલ્લા પોલીસ વડા રસ્તા પર ઉતર્યા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video