trp game zone fire video : ગેમિંગ ઝોનની આગમાં હોમાયો આખો પરિવાર, એક જ પરિવારના 5 સભ્યોના મોત

trp game zone fire video : પરિવારને બચાવવા જતાં વિરેન્દ્રસિંહ પણ આગકાંડનો ભોગ બન્યા હતા. આ પરિવારના બે સભ્યો હાલ હોસ્પિટલમાં દાખલ છે અને 5 સભ્યોના મોત થયાની પુષ્ટી થઇ છે.

| Updated on: May 26, 2024 | 5:28 PM

રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં ગઈકાલે લાગેલી આગમાં બાળકો સહિત 28 થી વધુ લોકો આગમાં હોમાયા છે અને હજુ પણ મૃત્યુઆંક વધવાની સંભાવના છે. રાજકોટમાં બેદરકારીના દાવાનળમાં અનેક પરિવારો હોમાયા છે અને આ ગેમિંગ ઝોન દુર્ઘટનામાં સાંગણવાના વિરેન્દ્રસિંહનો પરિવાર પણ વિખેરાયો છે.

રાજકોટ અગ્નિકાંડમાં દુર્ઘટનામાં એક જ પરિવારના 7 સભ્યો બન્યા ભોગ બન્યા હતા જેમાંથી 5 સભ્યોના મોત થયા છે. સાંગણવા ગામના વિરેન્દ્રસિંહ તેમના પત્ની, પુત્ર અને સાઢુના બાળકો સાથે ગેમિંગ ઝોનમાં ગયા હતા, જ્યાં એમના આ પરિવારનો માળો વિખેરાય ગયો છે. અચાનક ગેમિંગ ઝોનમાં આગ લાગી ત્યારે વિરેન્દ્રસિંહ તો સલામત સ્થળે હતા પરંતુ બાળકો આગમાં ફસાયેલા હોવાથી તેઓ એમને બચાવવા માટે ઉપર ગયા હતા. પરિવારને બચાવવા જતાં વિરેન્દ્રસિંહ પણ આગકાંડનો ભોગ બન્યા હતા. આ પરિવારના બે સભ્યો હાલ હોસ્પિટલમાં દાખલ છે અને 5 સભ્યોના મોત થયાની પુષ્ટી થઇ છે.

પિતાનો આક્રંદ

પોતાના પરિવારને ગુમાવ્યાની પીડામાં પ્રદિપસિંહ ચૌહાણે કહ્યું કે, ‘ હું મીડિયાના હાજરીમાં કહું કે, મને જે પણ સરકારી સહાય મળશે તેને હું જરુરિયાતમંદોને આપી દઈશ. અને ખાસ વાત કે, આ લોકોને જે પણ સજા થશે. ફાંસીની સજા કે કોઈ પણ જાતની સજા પડશે અને સજા પહેલા જો તેમને જામીન મળ્યા તો હું બધાને મારી નાખીશ. મારે આગળ પાછળ કઈ છે નહીં. જે હતું તે બધુ જતું રહ્યું છે. તેથી હું કોઈને જીવતા નહીં રહેવા દઉ. જેમ અમારા પરિવારની ઓખળપરખ નથી થતી તેમ હું તેમની ઓળખપરખ નહીં થવા દઉં. સરકાર આ લોકોને ફાંસીની સજા કરે અને કોઈ પણ વકીલ આમનો કેસ ના લડે, ના હાઈકોર્ટમાં, ના સુપ્રીમમાં કે ના અહીંયા.અને જો પૈસાથી જ કેસ લડવો હોય તો જે એમની ફી થતી હોય તેના કરતા 2 લાખ હું વખારે આપીશ.’

Follow Us:
વિશ્વના દેશો આજે ભારતમાં રોકાણ કરવા પડાપડી કરે છે : PM મોદી
વિશ્વના દેશો આજે ભારતમાં રોકાણ કરવા પડાપડી કરે છે : PM મોદી
35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
g clip-path="url(#clip0_868_265)">