Vadodara News : વધુ એક મનરેગા કૌભાંડ ! કરજણમાં કરોડો રુપિયાના કૌભાંડનો પર્દાફાશ, 8 લોકો સામે નોંધાઈ ફરિયાદ, જુઓ Video
છેલ્લા કેટલાક સમયથી મનરેગા યોજના ચર્ચાનો વિષય બની ગઈ છે. મનરેગા યોજનામાં અલગ અલગ જગ્યાએથી કૌભાંડનો ખુલાસો થયો છે. ત્યારે વડોદરાના કરજણમાં વર્ષ 2021-22માં આચરેલું કૌભાંડ ખુલ્યું છે. મનરેગા યોજનામાં કૌભાંડને લઈને 8 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી મનરેગા યોજના ચર્ચાનો વિષય બની ગઈ છે. મનરેગા યોજનામાં અલગ અલગ જગ્યાએથી કૌભાંડનો ખુલાસો થયો છે. ત્યારે વડોદરાના કરજણમાં વર્ષ 2021-22માં આચરેલું કૌભાંડ ખુલ્યું છે. મનરેગા યોજનામાં કૌભાંડને લઈને 8 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
તાલુકામાં 2.72 કરોડનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે તત્કાલીન TDO અને ટેક્લિનકલ આસિસ્ટન્ટ સહિતના લોકો સામેલ હોવાનું ખુલ્યું છે. કરજણના TDOએ આ સમગ્ર ઘટનામાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
8 અધિકારીઓ સામે ફરિયાદ
કરજણ તાલુકા પંચાયતના હાલના TDO જયમિની પટેલે વડોદરા DDOના માર્ગદર્શન હેઠળ આ ફરિયાદ કરી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021-2022માં મનરેગા યોજના હેઠળના કામો માટે માલ-સામાન સપ્લાયમાં ટેન્ડર બહાર પડાયું હતું.ત્યારે, તત્કાલીન TDOએ ટેન્ડર પ્રક્રિયા પૂરી કર્યા બાદ 11 નવેમ્બર 2021થી 31 માર્ચ 2022 સુધી ધનંજય કન્સ્ટ્રક્શન કંપનીને ઇજારો આપ્યો હતો.
જોકે, માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર અને હિસાબી અધિકારી દ્વારા તપાસ કરાઇ હતી.જેમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો.તપાસમાં શરતોનો ભંગ કરીને ધનંજય કંપનીને ઇજારો આપ્યાનું ખુલ્યું હતું.કંપનીને 5 કરોડ 36 લાખથી વધુની રકમ ચૂકવાઇ હતી. જેમાં પોણા 3 કરોડ રૂપિયા વધુ ચૂકવાયા હતા. જેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
