ઉનાળો શરુ થતા જ આગ લાગવાના બનાવોમાં પણ વધારો થતો જઇ રહ્યો છે. છોટા ઉદેપુરના નસવાડીમાં આવેલા એક ડુંગર વિસ્તારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. કંડવા ગામે જંગલ વિસ્તારમાં આગ લાગતા વૃક્ષો બળીને ખાક થઇ જવાની ઘટના સામે આવી છે.
આ પણ વાંચો- સબકા સપના મની મની: 30 વર્ષની ઉંમરના લોકો માટે SIPનો જબરદસ્ત પ્લાન, 4.50 કરોડ એકઠા કરી શકશો
છોટાઉદેપુરના નસવાડીમાં કંડવા ગામે જંગલ અને ડુંગરમાં આગ લાગી હતી. આગને પગલે જંગલમાં આવેલા લીલા વૃક્ષો બળીને ખાખ થઇ ગયા છે. જંગલમાં રહેતા વન્ય પ્રણીઓના મૃત્યુ થયા હોવાની શક્યતા જોવા મળી રહી છે.જેને પગલે વન વિભાગની ટીમ તપાસમાં જોતરાઇ છે. અંધશ્રદ્ધામાં માનતા કેટલાક લોકો દ્વારા આગ લગાવવામાં આવતી હોવાની આશંકા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો