જુનાગઢમાં વાતાવરણમાં પલટો, ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાયો, Videoમાં જુઓ દ્રશ્યો

|

May 10, 2024 | 5:03 PM

જૂનાગઢમાં વાતાવરણમાં એકા એક પલટો આવ્યો છે. જુનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે પવન ફુંકાયો છે. જો કે તેની કોઈ અસર રોપ - વે સેવા પર જોવા મળી નથી. આ અંગે જાણકારોનું કહેવું છે કે ઉનાળાના મધ્યમાં સવારના સમયે આ પ્રકારે પવન ફૂંકાવાની ઘટના બનતી હોય છે.

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ત્યારે જુનાગઢમાં વાતાવરણમાં એકા એક પલટો આવ્યો છે. જુનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે પવન ફુંકાયો છે. જો કે તેની કોઈ અસર રોપ – વે સેવા પર જોવા મળી નથી. આ અંગે જાણકારોનું કહેવું છે કે ઉનાળાના મધ્યમાં સવારના સમયે આ પ્રકારે પવન ફૂંકાવાની ઘટના બનતી હોય છે.

બીજી તરફ હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં આગામી ચાર દિવસ બાદ વરસાદ પડવાની શક્યતા છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસવાની શક્યતા કરવામાં આવી છે.

હવામાન વિભાગના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video