માણાવદરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ રાજીનામુ આપ્યા બાદ આખરે આજે કેસરીયા કરી જ લીધા છે. પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ 600થી વધુ સમર્થકો અને કાર્યકરો સાથે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં કેસરીયા કરી લીધા છે. વંથલીમાં આયોજિત કાર્યકર્તા સંમેલનમાં તેમણે કેસરીયા કર્યા હતા. જેમા જવાહર ચાવડાની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. પોતાના જ મત વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ચાવડા ગેરહાજર રહ્યા હતા. ત્યારે અરવિંદ લાડાણીના ભાજપ પ્રવેશ સામે ચાવડા નારાજ હોવાની વાત સામે આવી છે.
અરવિંદ લાડાણી 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના જવાહર ચાવડાને હરાવ્યા હતા. હાલ ચાવડા વિરોધ પક્ષના4 નેતાના ભાજપ પ્રવેશથી નારાજ હોવાની વાત સામે આવી રહી છે. જોકે અરવિંદ લાડાણીએ જવાહર ચાવડાની નારાજગીની વાતને રદિય આપતા જણાવ્યુ કે તેઓ અન્ય કારણસર ન આવી શક્યા હોય તેવુ બની રહી છે. કોઈ નારાજગી નથી.
લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપમાં ભરતીમેળો શરૂ છે. આજે જુનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય ધર્મિષ્ઠા પટેલ પણ ભાજપમાં જોડાયા છે. આપના પ્રદેશ મંત્રી ચેતન ગજેરાએ પણ કેસરીયા કર્યા છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:40 pm, Thu, 14 March 24