Junagadh: બાલાજી એવન્યૂની હોસ્પિટલના તબીબોએ રોડ પર ઊભા રહી દર્દીઓને તપાસવા પડ્યા, જાણો શું છે કારણ

જૂનાગઢ શહેરમાં મોટાભાગના કોમર્શીયલ બિલ્ડીંગો બી.યુ. સર્ટિફિકેટ અને ફાયર એન.ઓ.સી. વગર ના હોય અને આ બાબતે હાઈકોર્ટે મહાનગરપાલિકાના કમિશનરનો ઉધડો લેતા મહાનગરપાલિકાનું તંત્ર હવે સફાળું જાગ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 11:39 AM

જૂનાગઢ મહાનગરપાલિકાએ (Junagadh Municipal Corporation) હાઈકોર્ટના આદેશ મુજબ ફાયર એનઓસી, બી.યુ. સર્ટીફીકેટ વગરની ધમધમતા એકમો પર તવાઇ બોલાવવાનું શરુ કર્યુ છે. જૂનાગઢ મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં 16 મિલ્કતને નિયમભંગ બદલ કામગીરી હાથ ધરી છે. જેમાં કેટલીક હોસ્પિટલ સીલ (Hospital seal) કરતા તબીબોએ રસ્તા પર ઊભા રહીને દર્દીઓનું સ્વાસ્થ્ય તપાસી દવા આપવી પડી હતી.

જુનાગઢ મહાનગરપાલિકાએ હાઈકોર્ટના આદેશ મુજબ ફાયર એનઓસી, બી.યુ. સર્ટીફીકેટ વગરની ધમધમતી હોસ્પીટલો, શાળા હાઈરાઈઝ બિલ્ડીંગો, કોમર્શીયલ, કોમ્પલેક્સ સહિતની વિવિધ બિલ્ડીંગોમાં શિવરાત્રીનો મેળો પુરો થયા બાદ સીલ મારવાની કામગીરી શરૂ કરી છે. જૂનાગઢ મહાનગરપાલિકાએ બાલાજી એવન્યુની કેટલીક હોસ્પિટલ બીયુ પરમિશન ન હોવાથી સીલ કરી છે. આ હોસ્પિટલના તબીબે આક્ષેપ કર્યો કે દર્દીઓ દાખલ હતા અને તેમને ખસેડવા જેટલો સમય પણ તંત્રએ ન આપ્યો. હોસ્પિટલ સીલ થતા તબીબે રોડ પર ઉભા રહીને દર્દીઓને તપાસ્યા અને દવા લખી આપી. આ કોમ્પલેક્સના નીચે દર્દીઓની લાંબી કતાર જોવા મળી.

જૂનાગઢ શહેરમાં મોટાભાગના કોમર્શીયલ બિલ્ડીંગો બી.યુ. સર્ટિફિકેટ અને ફાયર એન.ઓ.સી. વગર ના હોય અને આ બાબતે હાઈકોર્ટે મહાનગરપાલિકાના કમિશનરનો ઉધડો લેતા મહાનગરપાલિકાનું તંત્ર હવે સફાળું જાગ્યું છે. આવા ગેરકાયદેસર બિલ્ડિંગો હોસ્પિટલો શાળા-કોલેજ દુકાનો એપાર્ટમેન્ટ સીલ કરવાની કામગીરી પાંચેક દિવસથી શરૂ કરી છે પરંતુ તેમાં પણ વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવતી હોવાનો તબીબોએ આક્ષેપ કર્યો છે. મોતી બાગ નજીક આવેલા બાલાજી એવન્યુને સીલ કરતા હોબાળો મચી ગયો હતો. જૂનાગઢના કોંગ્રેસ પ્રમુખે દર્દી અને તબીબોની થતી હેરાનગતિ મુદ્દે વિરોધની પણ ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો-

Ahmedabad : પત્રકારના નામે ખોટી રીતે વેપારીઓને ધમકાવતી ગેંગ ઝડપાઇ, એક મહિલા સહિત ત્રણની ધરપકડ

આ પણ વાંચો-

Banaskantha: પશુપાલનના વ્યવસાયમાં કરોડો રૂપિયા કમાતી બનાસ ડેરીની મહિલા પશુપાલકોનું મહિલા દિને શક્તિ પ્રદર્શન

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">