Junagadh: મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં બજેટને મંજૂરી, બજેટ જુનાગઢને પ્રવાસન શહેર તરીકે વિકસાવનારુ હોવાનો શાસક પક્ષનો દાવો
જનરલ બોર્ડની બેઠકમાં રજુ કરાયેલા બજેટની ખાસ વાત એ છે કે વેરામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. પરંતુ આ બજેટને લઈ વિરોધ પક્ષના મહિલા નગરસેવિકાએ આક્ષેપ કર્યો છે કે જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરનુ વર્ષોથી કામ ટલ્લે ચડી રહ્યું છે.