JAMNAGAR : શ્રાવણ મહિનામાં યોજાતા બે લોકમેળા રદ્દ, મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય
કોરોના સંક્રમણની ત્રીજી લહેરને જોતા જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મેળો કેન્સલ કરવાનો નિર્ણય કરાયો.
JAMNAGAR :શ્રાવણ મહિનામાં યોજાતા બે લોકમેળાનું આયોજન રદ્દ કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણની ત્રીજી લહેરને જોતા જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મેળો કેન્સલ કરવાનો નિર્ણય કરાયો. કોરોના કાળમાં સતત બીજા વર્ષે શ્રાવણ મહિનાના મેળા રદ્દ કરવામાં આવ્યા છે. જો લોકમેળાનું આયોજન થાય તો મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. અને સંક્રમણ ફેલાવવાનો ખતરો રહે. જેથી શ્રાવણ મહિનાના લોકમેળા રદ્દ કરવામાં આવ્યા છે. નોંધનીય છેકે કોરોના મહામારીને પગલે ગત વર્ષે પણ સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં યોજાતા દરેક મેળાને કેન્સલ કરાયા હતા. ત્યારે રાજકોટના લોકમેળા પણ રદ થાય તેવી સંભાવના છે.
Latest Videos
Latest News