જામનગર શહેરમાં (jamnagar) મહોરમના તહેવાર (Muharram)હોવાથી તાજીયા જુલૂસ (tajiya juloos) કાઢવામાં આવ્યુ હતુ.જેમાં 15 લોકોને વીજ કરંટ લાગ્યો હોવાના સમચાર મળી રહ્યા છે.બે શખ્શોના ઘટના સ્થળે જ મોત થયા છે.જ્યારે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.તમને જણાવી દઈએ કે, શહેરની (Jamnagar city) ધરાનગર -2 ટેકરી વિસ્તારની આ ઘટના છે.
આ પહેલા થોડા સમય અગાઉ જામનગર જિલ્લામાં (Jamnagar District) વાડીમાં ભૂંડ ઘૂસી ઉભા પાકને નુકસાન ન કરે તે માટે વાડીના ફરતે વીજ તાર લગાવવામા આવ્યો હતો. આ દરમિયાન તારમાં વીજપ્રવાહ ચાલુ હતો ત્યારે વાડીમાં મજૂરી કામ કરતાં મજૂર પરિવારના પાંચ બાળકો રમતા- રમતા આ તારને અડી જતા કરંટ લાગ્યો હતો. જેમાં એક બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે ચાર બાળકોને ગંભીર ઈજા પહોંચતી હતી, તમામને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.
Published On - 7:17 am, Tue, 9 August 22