સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારો પૂરગ્રસ્ત છે. NDRF દ્વારા પૂર વિસ્તારોમાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર નિકાળી રહ્યા છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ નજર આવી રહ્યુ છે. સૌરાષ્ટ્રની નદીઓ અને નાળાઓમાં પાણીના પ્રવાહ ધસમસતા જોવા મળી રહ્યા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યા છે. ધ્રાફા અને સિદસરની નદી બે કાંઠે થઈ હતી. સિદસરના ઉમિયા માતાજીના મંદિર પરિસરમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.
જામજોધપુર વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. જામજોધપુરના ધ્રાફા અને સિદસરની નદીઓમાં પાણીનો પ્રવાહ ધસમસવા લાગ્યો હતો. સિદસરમાં આવેલા ઉમિયા માતાજીના મંદિરમાં પણ પાણી ભરાયા હતા. દ્રશ્યોમાં જઈ શકાય છે. મંદિરના પરિસરના કેટલાક હિસ્સાઓમાં પાણી ભરાઈ ગયા હતા. પરિસરમાં ધસમસતા પ્રવાહ પાણીના વહ્યા હતા. ઉમા સાગર ડેમના પાણી વેણુ નદીમાં વહેતા ઘોડાપૂરના દ્રશ્યો જોવા મળ્યા હતા.
Published On - 9:54 pm, Wed, 19 July 23