IPL-2025 ની ફાઈનલ મેચ માં મેઘરાજા વિધ્ન બનશે કે કેમ ! તેને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આ આગાહી ક્રિકેટ રસિકોને નિરાશ કરનારી છે. અંબાલાલની આગાહી મુજબ IPLની ફાઈનલ મેચમાં વરસાદનું વિઘ્ન નડશે. અંબાલાલના જણાવ્યા અનુસાર આવતીકાલે સાંજે અમદાવાદમાં વરસાદ પડી શકે છે. ક્વોલિફાઈંગ મેચમાં પણ વરસાદ વિધ્ન બન્યો હતો અને થોડી કલાકો માટે મેચ રોકવાની ફરજ પડી હતી. ત્યારે અંબાલાલે આગાહી કરી છે કે ફાઈનલ દરમિયાન પણ વરસાદને કારણે IPLની ફાઈનલ મેચની મજા બગડી શકે છે. વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે.
ઉલ્લેખનીય છે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025ની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. ત્રીજી જૂને IPLની ફાઈનલ બેંગાલુરુ અને પંજાબ વચ્ચે રમાવાની છે. પંજાબ કિંગ્સ 11 વર્ષ બાદ IPLની ફાઈનલમાં પહોંચ્યુ છે. મુંબઈ ઈન્ડિયન્સને હરાવી પંજાબ કિંગ્સનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ફાઈનલ મુકાબલો થવાનો છે. ખરાખરીના જંગ અને રસાકસી ભરેલી ફાઈનલની સહુ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે જો વરસાદ વિધ્ન બન્યો તો મેચની મજા બગાડી શકે છે. હાલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ અમદવાદમાં ફાઈનલ મેચ દરમિયાન વરસાદ વિઘ્ન બની શકે છે.
Input Credit- Himanshu Patel- Gandhinagar
Published On - 1:21 pm, Mon, 2 June 25