Good News : ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો, ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી, જુઓ Video

|

Sep 20, 2024 | 4:03 PM

દિવાળી પહેલા ST કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે. મળતી માહિતી અનુસાર રાત-દિવસ પોતાની ફરજને પ્રાધાન્ય આપતા નિગમન કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો છે.

Good News : દિવાળી પહેલા ST કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે. મળતી માહિતી અનુસાર રાત-દિવસ પોતાની ફરજને પ્રાધાન્ય આપતા નિગમન કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાયો છે.

 

તેમજ ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત એરિયર્સ ચૂકવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આ સમગ્ર માહિતી ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વિટર પર ટ્વિટ કરીને આપી છે. રાજ્યના નિગમ વિભાગના કર્મચારીઓને અંદાજિત 125 કરોડ રુપિયાનો લાભ થશે. બીજી તરફ આ અગાઉ એસ.ટી. નિગમના કર્મચારીઓએ આશરે 11 મહિના પહેલા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં માટે વિરોધ પ્રદર્શન કર્યો હતો.

 

Next Video