આજના સમયમાં પણ ગામના લોકો પ્રાચીન ગરબા અને પરંપરા જાળવી રાખવાનો પ્રયાસો કરે છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે જામનગરનું રણજીતનગર વિસ્તાર. જ્યાં ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ લે છે યુવાનો.
છેલ્લા સાત દાયકાથી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે.. જેમાં અનોખા મશાલ રાસ રમવામાં આવે છે.. સળગતા અંગારા વચ્ચે સળગતી મશાલ સાથે યુવાનો એક તાલે રાસ રમે છે. મસાલ રાસ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. પરંપરાગત કેડિયું અને ચોયણીના વસ્ત્ર પરિધાન કરીને આ ગરબી મંડળના ખેલૈયાઓ મશાલ રાસ રમે છે. મશાલ રાસમાં યુવાનો આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે. આ દ્રશ્ય બહુ જ નયનરમ્ય હોય છે. આ ઉપરાંત રાસ દરમિયાન મશાલ સાથે યુવાનો સ્વસ્તિકના પ્રતિક પણ રચે છે. જેથી લોકોમાં આ રાસ-ગરબાનું ખાસ વિશેષ આકર્ષણ છે.
Published On - 4:00 pm, Sun, 6 October 24