Ahmedabad Video : મણિનગરના મિલ્લતનગરમાં ઉભરાયા ગટરના પાણી, રહીશોમાં જોવા મળ્યો રોષ

|

Feb 08, 2024 | 4:57 PM

અમદાવાદના મણિનગરના મિલ્લતનગરમાં વિકાસના બણગા ફૂંકતા AMCના શાસકો માટે આ દ્રશ્યો શરમજનક કહી શકાય છે.મિલ્લતનગરના લોકોનો આરોપ છે કે છાશવારે ડ્રેનજના પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળે છે. ભર શિયાળે ચોમાસુ આફત સર્જાઈ છે.

અમદાવાદ ભલે વિકાસની રાહ પર ચાલી રહ્યુ છે. પરંતુ કેટલાક વિસ્તારના લોકો અહીં નર્કાગારની જિંદગી જીવવા મજબૂર છે. અમદાવાદના મણિનગરના મિલ્લતનગરમાં વિકાસના બણગા ફૂંકતા AMCના શાસકો માટે આ દ્રશ્યો શરમજનક કહી શકાય છે. મિલ્લતનગરના લોકોનો આરોપ છે કે છાશવારે ડ્રેનજના પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળે છે. ભર શિયાળે ચોમાસુ આફત સર્જાઈ છે. ગટરના ગંદા પાણી જો ઘરના આંગણે દસ્તક દઇ રહ્યા હોય, તો સ્વાભાવિક છે કે રોગચાળો વકરવાનો જ છે. સ્થાનિકોની પણ આ જ ફરિયાદ છે કે તંત્રના પાપે અહીં ઘરે ઘરે બીમારીના ખાટલા પથરાયા છે.

સ્થિતિ એટલી ખરાબ બની છે કે હવે સ્થાનિકોની ધીરજ ખૂટી રહી છે. મુશ્કેલી ભોગવતા લોકોનો મોરચો કોર્પોરેશને મંડાયો છે. રોષે ભરાયેલા રહીશોએ કોર્પોરેશનની દક્ષિણ વિભાગની કચેરીએ હોબાળો મચાવ્યો છે. સૂત્રોચ્ચારો કર્યા અને પોસ્ટર દ્વારા વિરોધ કર્યો છે. તેમજ રહીશોની ફરિયાદ છે કે રજૂઆત પર તંત્ર ધ્યાન આપતું નથી.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video