Gujarati video: છોટાઉદેપુરમાં માઇનોર કેનાલમાં ગાબડુ, રજૂઆત છતાં કામગીરી ન થતી હોવાનો આક્ષેપ
શિયાળમાં કમોસમી વરસાદનો માર સહન કરી રહેલા ખેડૂતો ઉનાળામાં પાણી મળશે અને સારો પાક થશે તેવી આશા સેવીને બેઠા હતા, પણ તેમની આ આશા પર જાણે પાણી ફરી વળ્યું છે.
છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં આવેલા રામપુરી ગામમાંથી નર્મદાની માઈનોર કેનાલ પસાર થાય છે. આ કેનાલમાં હાલ પાણી તો છોડવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોને તેનો યોગ્ય લાભ નથી મળી રહ્યો, કારણકે કેનાલમાં ગાબડું પડવાને કારણે હજારો લિટર પાણી કોતરોમાં વહી જાય છે.
શિયાળમાં કમોસમી વરસાદનો માર સહન કરી રહેલા ખેડૂતો ઉનાળામાં પાણી મળશે અને સારો પાક થશે તેવી આશા સેવીને બેઠા હતા, પણ તેમની આ આશા પર જાણે પાણી ફરી વળ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આ અંગે સ્થાનિક તંત્ર અને અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી. ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓ આવે છે અને જોઈને જતા રહે છે . નક્કર કામગીરી કરવામાં કોઈ અધિકારીને રસ ન હોવાના આરોપ ખેડૂતો લગાવી રહ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
