અમદાવાદમાં વટવામાં બાગેશ્વધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો છે. બાબા આજકાલ તેમના દરેક દરબારમાં ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી રહ્યા છે. ત્યારે બાબાના આ નિવેદન પર શું કહેવુ છે. બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહા પહોંચ્યા હતા. તેમણે બાબાના હિંદુ રાષ્ટ્ર બનાવવાના નિવેદન અંગે જણાવ્યુ કે ભાજપના સતત પ્રયત્નથી લોકો આ વાત કરતા થયા છે કે હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે. ભાજપે RSSના વિચારસરણી સાથે વણાયેલી પાર્ટી છે. જેની શરૂઆતથી જ જ્યારે ભારત પાકિસ્તાન અલગ થયુ ત્યારે જ ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે તેવી ઈચ્છા હતી. ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવ્યુ ન હતુ.
આ પણ વાંચો : Ahmedabad : ઓગણજમાં યોજાનારો બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર મુલતવી, નડ્યુ વરસાદી વિઘ્ન
વધુમાં ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહાએ જણાવ્યુ કે ભાજપના 9 વર્ષના શાસનમાં પીએમ નરેન્દ્ર મોદીએ જે પ્રશાસન દેશમાં આપ્યુ છે તેનાથી લોકોમાં જાગૃતિ આવી છે. લોકો હિંદુ રાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યા છે. બાબા બાગેશ્વર જે હિંદુ રાષ્ટ્રની વાત કરે છે તેના સમર્થન માટે જ આજે આટલી જંગી જનમેદની કોઈપણ આવવા જવાની વ્યવસ્થા વગર સ્વયંભુ ઉમટી છે. એ હિંદુ રાષ્ટ્રના સમર્થનમાં જ છે.
Input Credit- Narendra Rathod- Ahmedabad
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો