Gujarati Video : ગાંધીનગરના રામકથા મેદાનમાં 10 હજાર લોકોએ અંગીકાર કર્યો બૌદ્ધ ધર્મ, દેશના જુદા-જુદા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા

Gandhinagar News : આ કાર્યક્રમમાં 100થી વધુ બસ લઈને લોકો આવ્યા હતા. સ્વયં સૈનિક દળ સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 6:14 PM

ગાંધીનગરના રામકથા મેદાનમાં આજે એક સાથે 10 હજાર લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. ગાંધીનગરના રામકથા મેદાનમાં ધર્મપરિવર્તન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જુદા જૂદા 10 રાજ્યોના લોકો પહોંચ્યા હતા. આ ધર્મપરિવર્ન પહેલા અડાલજના ત્રિ-મંદિરથી ગાંધીનગર સુધી જંગી વાહન રેલી યોજાઈ હતી. રેલીમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તેમજ દેશના જુદા જુદા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ પણ વાંચો-વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવન સામે કેટરિના પણ ફેલ, બતાવ્યા જોરદાર ડાન્સ મૂવ્સ, જુઓ Video

આ કાર્યક્રમમાં 100થી વધુ બસ લઈને લોકો આવ્યા હતા. સ્વયં સૈનિક દળ સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સ્વયં સૈનિક દળ સંગઠનના આગેવાનના જણાવ્યા મુજબ બૌદ્ધ ધર્મમાં કોઈ જાતના પાખંડવાદ, જાતિવાદ કે અસ્પૃશ્તાવાદ નથી. આ ધર્મ સભ્યતા સમાનતાનો ધર્મ છે.

મહત્વનું છે કે, 14 એપ્રિલ 1956માં બાબા સાહેબ આંબેડકરે નાગપુરની ધરતી પરથી દોઢ લાખથી વધુ સમર્થકો સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. ત્યારે બાબા આંબેડકરની 132મી જન્મજયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં લોકોએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો છે.

SSDના આગેવાને જણાવ્યું કે, SC, ST, OBC સાથે સમાજમાં જાતિવાદ, જ્ઞાતિવાદ, અસ્પૃશ્યતાના ભેદભાવની ઘટના ચરમસીમાએ પહોંચી છે. તે જોતા જાતિવાદના વાડા તોડી તમામ લોકો સમાનતા, આત્મ સન્માન સાથે જીવી શકે તે માટે આ પ્રકારે ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે, તેવો આગેવાનનો દાવો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">