Gujarat Video: અમદાવાદના કાલુપુરમાં ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં એકનું મોત, સ્વામીનારાયણ મંદિરની પાછળ બની હતી ઘટના
Ahmedabad: અમદાવાદના કાલુપુરમાં ઈમારત ધરાશાયી થવાની ઘટનામા એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે. ઈમારત નીચે ત્રણ લોકો દટાયા હતા. ફાયર વિભાગ દ્વારા ત્રણેય લોકોનુ રેસક્યુ કરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમા સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયુ છે.
અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે મકાનના કાટમાળ નીચે દટાયેલા ત્રણેય લોકોને બહાર કાઢી લેવામાં આવ્યાં છે. ફાયર વિભાગની ટીમે ત્રણેય લોકોનું રેસ્ક્યૂ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યાં છે. બનાવની વાત કરીએ તો સ્વામિનારાયણ મંદિર પાસે મોટા નવા વાસમાં એક મકાન ધરાશાયી થયું હતું.જેમાં એક મહિલા અને બે પુરૂષ સહિત ત્રણ લોકો દટાયા હતા.
ઈમારત ધરાશાયી થતા ત્રણ વ્યક્તિ દટાયા, એકનું મોત
બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ ત્રણેય લોકોને કાટમાળ નીચેની બહાર કઢાયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયુ હતુ.
આ પણ વાંચો : Ahmedabad : ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું, જાણો કયા કયા રુટ રહેશે બંધ
રથયાત્રા રૂટ પર જર્જરીત ઈમારતોને ઉતારવાની કામગીરી
રાજ્યમાં 15 જૂને ત્રાટકેલા વાવાઝોડાની અમદાવાદમાં ઓછી અસર થઈ છે, જો કે ભારે પવન ફુંકાવાને કારણે ઈમારત ધરાશાયી થઈ હોવાની શક્યતા સેવાઈ રહી છે. રથયાત્રા પહેલા રથયાત્રા જ્યાં જ્યાંથી પસાર થવાની છે, એ દરેક રૂટ પર જર્જરિત ઈમારતોને ખાલી કરાવી તેમને ઉતારવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. ત્યારે કાલુપુરમાં આજે ઈમારત થતા તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. અને સૌથી મોટો સવાલ એ છે કે હજુ આવી કેટલીય જર્જરીત ઈમારતો હશે, જેને ખાલી કરાવવામાં નથી આવી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
![અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/ANANT-RADHIKA-MAMERA-10.jpg?w=670&ar=16:9)
![Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/weight-checking-mistakes-or-weigh-management-tips-in-hindi-1.jpg?w=670&ar=16:9)
![આજનું રાશિફળ તારીખ : 04-07-2024 આજનું રાશિફળ તારીખ : 04-07-2024](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-WEB-STORY-THUMBNAIL-1-1.jpg?w=670&ar=16:9)
![ગંભીરને ફરી આવ્યો ગુસ્સો? પાછળથી આવીને એક વ્યક્તિનું ગળું દબાવી દીધું ગંભીરને ફરી આવ્યો ગુસ્સો? પાછળથી આવીને એક વ્યક્તિનું ગળું દબાવી દીધું](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-gautam-gambhir-afp-2.jpg?w=670&ar=16:9)
![કયા વિટામીનની કમીને કારણે પેટ ખરાબ થાય છે? કયા વિટામીનની કમીને કારણે પેટ ખરાબ થાય છે?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/health-news-stomach-upset-causes-vitamin-b12-deficiency-2.jpg?w=670&ar=16:9)
![ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/raymond-share-up-after-gautam-singhania-appoints-as-md-11.jpg?w=670&ar=16:9)