ગુજરાત સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, ઉત્તર ગુજરાતના 4 જિલ્લાના 952 તળાવો નર્મદાના પાણીથી ભરાશે

નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો છે, તેમાંથી આ પાણી ઉત્તર ગુજરાતના તળાવોમાં પહોંચાડવામાં આવશે. જુદી જુદી 13 પાઇપલાઇનો મારફતે નર્મદાના પાણીથી તળાવો ભરવામાં આવશે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Aug 12, 2024 | 8:01 PM

ગુજરાત સરકારે ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓની પાણીની સમસ્યા નિવારવા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નર્મદા બંધમાં પાણીની આવક થતા બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પાઈપલાઈન મારફતે પાણી પહોંચાડવામાં આવશે. આ 4 જિલ્લાઓના કુલ 952 તળાવો ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો છે, તેમાંથી આ પાણી ઉત્તર ગુજરાતના તળાવોમાં પહોંચાડવામાં આવશે. જુદી જુદી 13 પાઇપલાઇનો મારફતે નર્મદાના પાણીથી તળાવો ભરવામાં આવશે. હાલ પાઇપલાઇનો મારફતે 1 હજાર ક્યુસેક પાણી પહોંચાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વધુ 2400 ક્યુસેક પાણીથી આ 4 જિલ્લાના 952 તળાવો ભરવામાં આવશે.

ઉપરવાસમાંથી થઈ રહેલા પાણીની સતત આવકને પગલે, સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વર્તમાન ચોમાસામાં પહેલીવાર સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135.88 મીટરે પહોચી છે. હાલમાં ઉપરવાસમાંથી 2,93,389 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે સરદાર સરોવર નર્મદા ડેમના 9 દરવાજા 2.1 મીટર ખોલીને કુલ 1,79,444 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

Follow Us:
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
g clip-path="url(#clip0_868_265)">