Bhavnagar માં નેસવડ ગામની સ્કૂલની પ્રશ્નપત્રની ચોરી બાદ શિક્ષણ વિભાગે લીધો આ મોટો નિર્ણય

|

Apr 22, 2022 | 4:18 PM

ભાવનગર(Bhavnagar) જિલ્લાના તળાજા તાલુકાના નેસવડ ગામની શાળા  માંથી પ્રશ્નપત્રો ચોરાઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે કુલ 24 પેપરની ચોરી થઈ છે.. જેમાં 7મા ધોરણના 7 વિષયના બધા જ પેપરમાંથી 3-3 પેપર મળીને 21 પેપર ચોરાયા છે. જ્યારે ધોરણ 8ના 3 પેપર પેપર ચોરાયા છે.

Bhavnagar માં નેસવડ ગામની સ્કૂલની પ્રશ્નપત્રની ચોરી બાદ શિક્ષણ વિભાગે લીધો આ  મોટો નિર્ણય
Bhavnagar Exam Cancel

Follow us on

ભાવનગરના(Bhavnagar)નેસવડ ગામની સ્કૂલમાંથી પ્રશ્નપત્ર ચોરી(Papaer) થવાની ઘટના બાદ શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષણ વિભાગે(Education Department)22અને 23 એપ્રિલે લેવાનારી ધોરણ 7ની પરીક્ષા રદ કરી દીધી છે. મહત્વનું છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને સ્કૂલ ઓફ એક્સેલેન્સની વાતો વચ્ચે શિક્ષણ વિભાગને લપડાક આપતી વધુ એક ઘટના સામે આવી છે.. ધોરણ 6થી 8ની પરીક્ષાના પેપર ચોરી થઈ ગયા છે. આ ઘટના ખુદ શિક્ષણપ્રધાનના જિલ્લામાં જ ઘટી છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નેસવડ ગામની શાળામાંથી પ્રશ્નપત્રો ચોરાઈ ગયા છે.મળતી માહિતી પ્રમાણે કુલ 24 પેપરની ચોરી થઈ છે.. જેમાં 7મા ધોરણના 7 વિષયના બધા જ પેપરમાંથી 3-3 પેપર મળીને 21 પેપર ચોરાયા છે.. જ્યારે ધોરણ 8ના 3 પેપર પેપર ચોરાયા છે.. આમ કુલ 24 પેપર ચોરી થયા છે..જેને લઈ શાળાના આચાર્યએ અડધી રાત્રે પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી છે.. જે બાદ ભાવનગર એલસીબી સહિતના પોલીસ કાફલાએ નેસવડની સ્કૂલમાં જઈને તપાસનો ધમધમાટ કર્યો છે..

વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને સ્કૂલ ઓફ એક્સેલેન્સની વાતો વચ્ચે શિક્ષણ વિભાગ ને લપડાક આપતી વધુ એક ઘટના સામે આવી છે. ધોરણ 6થી 8ની પરીક્ષાના પેપર ચોરી થઈ ગયા છે. આ ઘટના ખુદ શિક્ષણપ્રધાનના જિલ્લામાં જ ઘટી છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નેસવડ ગામની શાળા  માંથી પ્રશ્નપત્રો ચોરાઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે કુલ 24 પેપરની ચોરી થઈ છે.. જેમાં 7મા ધોરણના 7 વિષયના બધા જ પેપરમાંથી 3-3 પેપર મળીને 21 પેપર ચોરાયા છે. જ્યારે ધોરણ 8ના 3 પેપર પેપર ચોરાયા છે. આમ કુલ 24 પેપર ચોરી થયા છે. જેને લઈ શાળાના આચાર્યએ અડધી રાત્રે પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી છે. જે બાદ ભાવનગર એલસીબી સહિતના પોલીસ કાફલાએ નેસવડની સ્કૂલમાં જઈને તપાસનો ધમધમાટ કર્યો છે. બીજી તરફ ધોરણ 7ની આજે અને આવતીકાલે લેવાનારી પરીક્ષા રદ કરવામાં આવી છે.

બીજી તરફ ઘટનાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યમાં ક્યાં સુધી સર્જાતા રહેશે પેપરકાંડ? એક બાદ એક પેપરકાંડની ઘટનાઓ ક્યાં સુધી સર્જાતી રહેશે? શિક્ષણ તંત્રથી પ્રાથમિક શાળાના પેપર પણ નથી સચવાતા? એવી તે કેવી વ્યવસ્થા છે કે શાળામાંથી જ પેપર ચોરાઈ જાય છે

આ પણ વાંચો :  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 649 કરોડના ખર્ચે તૈયાર થયેલા બગોદરા-તારાપૂર 54 કિલોમીટર 6 લેન માર્ગનું લોકાર્પણ કર્યુ

આ પણ વાંચો :  Anand: કોમી એકતાના ઉદાહરણ સાથે મિત્રતાને અમર કરી ગયા બે મિત્ર, અંતિમયાત્રામાં સમગ્ર ગામ હીબકે ચઢ્યુ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 4:17 pm, Fri, 22 April 22

Next Video