Gram Panchayat : શહેરોને પણ આંટી મારતું ગુજરાતનું પેરીસ ધર્મજ ગામ, જાણો કેવું છે આ ગામ

Dharmaj : ધર્મજમાં 12 હજારની વસ્તી છે જેમાં 2000 જેટલા નાગરીકો વિદેશમાં વસવાટ કરે છે. ખોબા જેવડા ધર્મજ ગામમાં રાષ્ટ્રીયકૃત અને ખાનગી સહિત કુલ 10 કરતા વધુ બેંક આવેલી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 3:07 PM

ANAND : મારું ગામ, મારી પંચાયતમાં આજે એવા ગામની વાત કરીશું એ ગામની કે ગામના મોટા ભાગના નાગરિકો વિદેશમાં વસવાટ કરે છે.આર્થિક રીતે વિકસિત આ ગામને ગુજરાતનું પેરીસ ગણવામાં આવે છે. ગામનું નામ ધર્મજ છે. ધર્મજ રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા આઠ તાલુકાઓ પૈકીના એક એવા પેટલાદ તાલુકામાં આવેલું એક નગર છે. ધર્મજના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. અહીં મુખ્યત્વે ઘઉં, ડાંગર, બાજરી, તમાકુ, કેળા, મરચા તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. અહીં ત્રિભોવનદાસ ગિરધરભાઈ પટેલ મિશ્ર પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી અને અંગ્રેજી માધ્યમની શાળા જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આણંદ જિલ્લામાં આવેલા ધર્મજ ગામનો વિકાસ શહેરના વિકાસથી જરા પણ ઓછો નથી.ગામ આર્થિક રીતે સમૃદ્ધ છે. ધર્મજમાં 12 હજારની વસ્તી છે જેમાં 2000 જેટલા નાગરીકો વિદેશમાં વસવાટ કરે છે. ખોબા જેવડા ધર્મજ ગામમાં રાષ્ટ્રીયકૃત અને ખાનગી સહિત કુલ 10 કરતા વધુ બેંક આવેલી છે. તો શહેરને પણ પાછળ રાખે તેવો બગીચો અને સ્વીમિંગપૂલ પણ છે. લાઈટ, પાણીની સુવિધા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બધુ જ છે. જો કે, હજુ પણ ગામમાં કેટલીક સુવિધા ખુટે છે.

ધર્મજના ગ્રામજનો કહી રહ્યાં છે કે ગામમાં તમામ સુવિધાઓ છે માત્ર આ ગામને અન્ય ગામ સાથે જોડતા રસ્તાઓની સ્થિતિ ખરાબ છે. ગ્રામજનોની માંગ છે કે સરકારમાંથી આવતી ગ્રાન્ટનો યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે ઉપયોગ થાય.

આ પણ વાંચો :  રસી મુકાવતા સમયે નાના બાળકની જેમ બુમો પાડી રડી પડી મહિલા, જુઓ વિડીયો

આ પણ વાંચો : SURENDRANAGAR : સુરેન્દ્રનગર-વિરમગામ હાઇવે પર એસટી બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, એકનું ઘટનાસ્થળે મોત

 

Follow Us:
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">