ગીરગઢડાની બુટલેગર મહિલા પર પોલીસકર્મીઓનો બળાત્કાર? દુષ્કર્મની ફરિયાદ બાદ 4 આરોપીની ધરપકડ- વીડિયો

ગીર સોમનાથના ગીર ગઢડામાં મહિલા બુટલેગરે પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલા પતિના અવસાન બાદ દારૂના વ્યવસાય સાથે જોડાઈ હતી અને દારૂના હપ્તાની સાથે પોલીસકર્મીઓએ વારંવાર તેના પર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ બાદ ત્રણ પોલીસકર્મી સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2024 | 9:55 PM

ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર ખાખી પર લાગ્યો છે દાગ, વાત છે ગીર ગઢડા ગામની જ્યા દારૂના વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાએ પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ બાદ બે પોલીસકર્મી, 1 હોમગાર્ડ સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ચારેય આરોપીઓ સામે બુટલેગર મહિલાનો આરોપ છે કે પતિના અવસાન બાદ ગુજરાન ચલાવવા તે દારૂના વ્યવસાય સાથે જોડાઈ હતી. જો કે દારૂના હપ્તા સાથે પોલીસકર્મીઓએ એક વર્ષ સુધી અલગ અલગ સ્થળોએ તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ.

દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર મહિલાનો ગુનાહિત ઈતિહાસ

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મહિલા બુટલેગર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અત્યાર સુધી ફરિયાદી મહિલા વિરૂદ્ધ 6 પોલીસ કેસ નોંધાઇ ચૂક્યા છે.  કેટલાક કેસમાં તેની અટક પણ કરવામાં આવી હતી. જે આરોપીઓની પોલીસે ધરપકડ કરી તેમાં, સલીમ મકરાણી છે જે હેડ ક્વાટરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો, મોહન મકવાણા જે ગીરગઢડા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવતો હતો, ત્રીજો આરોપી હનીફ શાહમદાર છે જે હોમગાર્ડ તરીકે સેવા બજાવતો હતો. જ્યારે અન્ય એક નાગરિક પરેશ સિંગોડ છે જેણે પોલીસકર્મીની ઓળખ આપી હતી. આ ચારેય આરોપીઓની ધરપકડ કરીને પોલીસે વધુ પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરીછે. SPનો દાવો છે કે આરોપીઓ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો: ભાવનગર: આહીર આગેવાન ગીગા ભમ્મરની ચારણ-ગઢવી સમાજ પર વિવાદી ટિપ્પણીથી લોકસાહિત્યકારોમાં ભભૂક્યો રોષ, કડક કાર્યવાહીની માગ- વીડિયો

મહત્વપૂર્ણ છે કે થોડા સમય અગાઉ જ ગીરસોમનાથ જિલ્લાની પોલીસ પર તોડકાંડનો આરોપ લાગ્યો હતો, ACBની રેડમાં ફસાયેલા કેટલાક પોલીસકર્મીઓ વિરૂદ્ધ કાર્યવાહી પણ થઇ હતી. જોકે તોડકાંડ બાદ હવે દુષ્કર્મનો આરોપ લાગતા ખાખી પર વધુ એક દાગ લાગ્યો છે. હવે જોવાનુ રહેશે ઝડપાયેલા આરોપીઓ સામે કેવી કડક કાર્યવાહી થાય છે.

Input Credit- Yogesh Joshi- Gir Somnath

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">